✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામોલ કેસઃ હાર્દિકના ઉપવાસ ચાલુ રહેશે કે થશે જેલવાસ? આજે કોર્ટ આપશે ચુકાદો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2018 10:12 AM (IST)
1

2

3

અમદાવાદઃ રામોલ તોડફોડ કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને જામીન મળશે કે રદ થશે તેના પર આજે સેશન્સ કોર્ટ ચુકાદો આપી શકે છે. એટલે કે હાર્દિક પટેલના ઉપવાસ ચાલુ રહેશે કે તે જેલમાં જશે તેને લઇને આજે નિર્ણય થશે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. રામોલ તોડફોડ કેસમાં. જામીનની શરતોમાં સુધાર કરવા અંગેની હાર્દિકની અરજી તેમજ હાર્દિક પટેલના જામીન રદ કરવાની સરકારની અરજી પર આજે ચુકાદો આવવાની શક્યતા છે.

4

હાર્દિકે કોર્ટમાં જામીનની શરતોમાં સુધારો કરે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ સરકારે આ કેસમાં જામીનની શરતોના ભંગ બદલ હાર્દિક પટેલના જામીન રદ કરવાની અરજી કરી હતી.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે.

5

તોડફોડના મામલામાં આરોપી હાર્દિક પટેલ પર રામોલમાં પ્રવેશ નહી કરવાની શરતે આ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા. પરંતુ બાદમાં હાર્દિકે સામાજિક કારણોસર રામોલમાં તેને જવું જરૂરી હોવાથી કોર્ટમાં રજૂઆત કરી હતી.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • રામોલ કેસઃ હાર્દિકના ઉપવાસ ચાલુ રહેશે કે થશે જેલવાસ? આજે કોર્ટ આપશે ચુકાદો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.