કેવી રીતે ભારતીય જવાનોએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા, જુઓ આ રહી અથડામણની તસવીરો
ભારતીય જવાનો અને ત્રણ આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. આતંકવાદીઓ ઘરમાંથી ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતીય જવાનોએ ત્રણ આતંકવાદીઓ ફાયરિંગ કરી રહ્યા હતાં તે ઘરને જ ઉડાવી દીધું હતું. આ અથડામણમાંમ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા હતાં.
પુલવામા એનકાઉન્ટરમાં ભારતીય સેનાના ચાર જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા હતાં. જ્યારે આ અથડામણમાં નવ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતાં.
માર્યા ગયેલા આતંકીની ઓળખ પુલવામા કાર હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન ગાજીના રૂપમાં થઈ છે. બીજો આતંકી હિલાલ અહમદ સ્થાનિક નાગરિક હતો જે જૈશ સાથે જોડાયેલો હતો. જ્યારે ત્રીજા આતંકીની ઓળખ અબ્દુલ રશી ગાજીના રૂમમાં થઈ હતી.
પુલવામાના પિંગલાના ગામમાં આતંકીઓની વિરુદ્ધ 18 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દીધાં હતાં. આ અથડામણમાં માર્યા ગયેલા જૈશ આતંકવાદીઓમાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાયેલા આતંકવાદી સામેલ હતાં. જો આ આતંકી સમૂહનો પાકિસ્તાની કમાન્ડર હતો.