✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે ઉંઝામાં વેપારીઓએ કેમ સજ્જડ બંધ પાળ્યું, જાણો આ રહ્યું કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Sep 2018 02:13 PM (IST)
1

2

3

ઉંઝા નગરના ઘંઘા-રોજગાર તા. 04-09-2018 બપોરે 12.00 કલાકથી એક દિવસ માટે સંપૂર્ણ બજાર બંધ રાખી ટેકો આપવા વિનંતી કરવામાં આવી છે.

4

ઉંઝા બંધ પાળવામાં આવશે તેનો એક પત્ર પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઈ-બહેનો અને બાળકો ઉપર પોલીસે કરેલી લાઠીચાર્જ અને દમનના વિરોધમાં અને કેના કારણે લાગણી દુભાવવાયી છે.

5

નોંધનીય છે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઈ-બહેનો અને બાળકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઈન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી પણ આપી હતી.

6

આજે બંધના કારણે અનેક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. જ્યારે ઉંઝામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

7

જોકે આજે સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી પરંતુ બપોરે બાદ સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ છે. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી.

8

હિંમતનગરના ગઢોડા ગામે ઉમિયા માતાના રથને અટકાવી દેવામાં આવ્યો હતો તે મામલે આજે મહેસાણાના ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધને સામાજીક અને ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળી છે.

  • હોમ
  • Photos
  • મહેસાણા
  • આજે ઉંઝામાં વેપારીઓએ કેમ સજ્જડ બંધ પાળ્યું, જાણો આ રહ્યું કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.