ભારત પાક સરહદે લહેરાયો દેશનો સૌથી ઊંચો ત્રિરંગો, લાહોરથી પણ જોઇ શકાશે!, જુઓ PHOTOS
મહારાષ્ટ્રના પુણેના કટરાજ લેકમાં લગાવવામાં આવેલ ત્રિરંગાની ઊંચાઈ 237 ફુટ છે.
દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં 250 ફુટ ઊંચો ત્રિરંગો આવેલો છે.
તમને જણાવીએ કે છત્તીસગઢની રાજધાની રાયપુરના તેલીબંધા તળાવમાં આવેલ ત્રિરંગાની ઉંચાઈ 269 ફુટ છે.
આ પહેલા વિતેલા વર્ષે ઝારકંડની રાજધાની રાંજીના પહાડી મંદિર પર દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે 23 જાન્યુઆરી, 2016ના રોજ 293 ફુટના ઊંચા થાંભલા પર ત્રિરંગો લહેરાવ્યો હતો.
તેનું કહેવું છે કે ભારત આ ધ્વજનો ઉપયોગ કરીને જાસૂસી કરી શકે છે. આ ત્રિરંગો પાકિસ્તાનના લાહોરથી પણ જોઇ શકાશે. અટારી સરહદથી લાહોર લગભગ ૨૧ કિલોમીટર દૂર છે. આગળની સ્લાઈડ્સમાં જાણો દેશના સૌથી ઊંચા ત્રિરંગા વિશે...
યાદ રહે કે ૫૫ ટનના સ્થંભ પર લહેરાવાયેલો આ ત્રિરંગો ૩૬૦ ફૂટ ઊંચો છે. ૧૨૦ ફૂટ પહોળો અને ૮૦ ફૂટ લાંબા એવો આ ધ્વજનું વજન ૧૦૦ કિલો છે. હવે એ ત્રિરંગો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે. મીડિયા રિપોર્ટસ મુજબ તો અટારી પર લહેરાવાયેલા આ ત્રિરંગાથી પાકિસ્તાન ડરી ગયું છે.
આ ત્રિરંગો લહેરાવવા સાથે પાકિસ્તાને ભારતના સૌથી ઊંચા ત્રિરંગા અંગે દેખાડેલો વિરોધને બીએસએફે નકારી કાઢયો હતો. પાકિસ્તાને અટારી સરહદ નજીક લહેરાવાયેલા ૩૬૦ ફિટ ઊંચા ત્રિરંગા સામે વિરોધ કર્યો હતો.જવાબમાં બીએસએફનું કહેવું છે કે ત્રિરંગો અંકૂશ રેખાથી ૨૦૦ મીટર દૂર છે.
ભારત-પાકની અટારી સરહદ પર દેશનો સૌથી ઊંચો ત્રિરંગો લહેરાયો છે. તમને જણાવીએ કે, પંજાબના પ્રધાન અનિલ જોશીએ ગઈકાલે દેશનો સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવ્યો. BSFએ આ ત્રિરંગાની તસવીર ટ્વિટર પર શેર કરી છે. આ ત્રિરંગાના નિર્માણ પાછળ ૩.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.આ યોજના પંજાબ સરકારની અમૃતસર સુધારન્યાસ પ્રાધિકરણની પરિયોજના હતી.