‘સરકારે બે મહિનામાં અનામત આપવા પાટીદારોને ઘેર આવવું પડશે’
આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા હળવદ તાલુકાના ટીકરગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું.
તેણે જણાવ્યું કે, અમારી આ લડાઈ પાટીદાર સમાજને થઈ રહેલા અન્યાય સામે છે ને પાટીદાર સમાજે તેની તાકાત બતાવી છે તે જોતાં અનામત આપ્યા વિના કોઈનો છૂટકો નથી. માત્ર બે મહિનામાં જ સરકારે પાટીદાર સમાજને ઘેર જઈને અનામત આપવી પડશે.
આ મહાસભામાં ગુજરાત અનામત આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરૂદ્ધ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત હોય કે વિધવા બેન હોય, તેમના સંતાનને 200માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતાં પણ કોલલેટર ન આવે તેનો વિરોધ છે.
હળવદ: હળવદ પાટીદાર આંદોલન સમિતી દ્વારા આયોજીત સર્વધર્મ મહાસભામાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો કે, ગુજરાત સરકારે બે મહિનામાં જ પાટીદાર સમાજને અનામત આપવા માટે પાટીદારોના ઘેર આવવું પડશે.