મા ખોડલને સોનાનો હાર પહેરાવી નરેશ પટેલનાં પત્નિએ કર્યું સ્વાગત, લોકોએ લાપસીનો મહાપ્રસાદ લીધો

નરેશ પટેલના ઘરે ખોડલ રથ આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે નરેશ પટેલના પત્ની શાલીનીબેને મા ખોડલને સોનાનો હાર પહેરાવ્યો હતો. રથના આગમન સાથે નરેશ પટેલના પરિવારે મા ખોડલની આરતી ઉતારી હતી.
આરતી બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિતી લાપસીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લીધો હતો. એ પછી રાજકોટમાંથી ખોડલ રથે વિદાય લીધી હતી અને મોરબી જિલ્લા તરફ રવાના થયો હતો.
નવ દિવસ મા ખોડલના રથે પરિભ્રમણ કરી 80 હજાર લેઉવા પટેલ પરિવારોને ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપ્યું છે. પરિભ્રમણના અંતિમ દિવસે 10 હજાર ભાવિકોએ મહાઆરતી બાદ પ્રસાદનો લાભ લીધો હતો.
રાજકોટ: ખોડલધામ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ફરી રહેલા મા ખોડલના રથને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યા છે ત્યારે ગઇકાલે રાજકોટમાં મોડી સાંજે ખોડલધામના અગ્રણી નરેશ પટેલના ઘરે ખોડલ રથનું આગમન થયું હતું.
રાજકોટમાં 2 જાન્યુઆરીથી ખોડલધામ રથે પરિભ્રમણ શરૂ કર્યું હતું. રથ દ્વારા લેઉવા પાટીદાર સમાજના પરિવારોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. બુધવારે રથે રાજકોટના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.