વાંકાનેરઃ એક યુવકે સગીરાના હાથ-પગ પકડી રાખ્યા ને બીજાએ ગુજાર્યો બળાત્કાર
પોલીસ ફરિયાદ થતાં બંને આરોપીઓ ભાગી છૂટ્યા છે. જેમને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ ભોગ બનનાર કિશોરીને વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવારમાં મોકલી આપી છે. આ ગુનાની તપાસ સર્કલ ઇન્સ્પેક્ટર વી. જી. બ્રહ્મભટ્ટે હાથ ધરી છે.
વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના ખખાણા ગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે બળાત્કારી અને મદદગારી કરનાર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઇ છે.
અહીં અજાણ્યા યુવકે સગીરાના હાથ-પગ પકડી રાખ્યા હતા. જ્યારે અનિલે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી સગીરાને ધમકી આપી હતી કે, આ અંગે જો કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશુ. આ અંગે સગીરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં તાફરિયાદ કરતાં આઇપીસીની કલમ ૩૬૩-૩૬૬-૩૭૬/ર એચઆઇ પ૦૬/ર ૧૧૪ તથા પોસ્કો -૧/ર૦૧ર ની કલમ ૩-એ તથા ૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર સગીરા ભેંસો ચારવા ખખાણા ગામની સીમમાં જતી હતી ત્યારે આરોપી અનિલ કેશુભાઇ વનાણી(રહે. ખખાણા) અને અન્ય એક અજાણ્યો યુવક સગીરાને પરાણે બાઇક પર બેસાડીને અપહરણ કરી જીયાણા ગામની સીમમાં લઈ ગયા હતા.