વડોદરા શહેર ભાજપ પ્રમુખ નિવેદનના સપ્તાહ પૂર્વે પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો.. જેમાં રજૂઆત કરી કી પાટણ લોકસભામાં આવતી રાધનપુર વિધાનસભામાંથી ભાજપને મળ્યા 34 હજાર 706 મતની લીડ... ત્યારે પત્રમાં લવિંગજી ઠાકોરે ધ્યાન દોર્યું કે રાધનપુરથી ભાજપને સારી લીડ મળી.. તો હવે નર્મદા કેનાલ, રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ... રાધનપુરના છેવાડાના ગામોમાં વર્ષોથી પીવાનું પૂરતું પાણી નથી મળી રહ્યું... નલ સે જલની કામગીરી રૂપે મસમોટી ટાંકી તો બનાવાઈ... તેમ છતાં પાણીની પારાયણ છે...મહિલાઓને દૂર-દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે.. આમ લવિંગજીએ પત્રમાં સ્પષ્ટ કહ્યું કે લોકોએ ભાજપને આપેલા મતનું વળતર તેમને મળે તે જરૂરી છે...