KYC અપડેટ માટે જામનગરમાં લોકોને ભારે હાલાકી... જોલી બંગલા નજીક આધારકાર્ડ કેન્દ્રના અપડેટ સેન્ટર પર રોજ ત્રણસોથી વધુ લોકો આવે છે... પંરતું આ કેન્દ્ર પર માત્ર રોજ 100 લોકોને ટોકન આપવામાં આવતી હોવાની લોકોએ ફરીયાદ કરી.. અરજદારોએ વ્યથા ઠાલવી કે.. બે-ત્રણ દિવસથી વહેલી સવારથી આવીએ છીએ પરંતુ કામગીરી થઈ શકતી નથી.. જો કે જોલી બંગલો સિવાય અન્ય કેન્દ્ર પર અપડેટ કરવાની કામગીરી થાય છે.. પરંતું ત્યાં અપડેટની કામગીરી ન થતી હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.. તો બીજી તરફ અધિકારીઓએ દાવો કર્યો કે... સ્થિતિ સુધરે તેવા વધુ પ્રયાસ કરીશું..