નવી દિલ્હીઃ ઈડન પાર્કમાં રમયાયેલ બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો જેણે અણનમ 57 રન બનાવ્યા હતા. જોકે રાહુલને મેન ઓફ ધ મેચ આપવા પર પૂર્વ ક્રિકેટર અજય જાડોજા અને વીરેન્દ્ર સેહવાગે સવાલ ઉઠાવ્યા છે. આ બન્ને ખેલાડીઓ અનુસાર જીતની સ્ક્રિપ્ટ બોલરેએ લખી હતી એવામાં કોઈ બોલરને મેન ઓફ મેચ આપવો જોઈતો હતો.

અજય જાડેજાએ ક્રિકેબઝના શોમાં કહ્યું કે મેન ઓફ ધ મેચના હકદાર રવીન્દ્ર જાડેજા હતા. તેમણે કહ્યું, ‘જ્યારે વિરોધી ટીમ 132 રન જ બનાવી શકી હોય ત્યારે બોલરને જ મેન ઓફ ધ મેચ મળવો જોઈએ. મેચમાં તો તેમણે જ જીત અપાવી. કેએલ રાહુલ અણનમ રહ્યો એટલા માટે કદાચ તેની તરફેણમાં નિર્ણય લીધો હોય.’

કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ આપવા પર જાડેજાએ ઉઠાવ્યા સવાલ! કહ્યું- મેચ તો બોલરોએ.....


સેહવાગે પણ અજય જાડેજાના વિચાર સાથે સહમતિ દર્શાવી હતી. તેણે કહ્યું કે, ‘હું તેની સાથે સમહત છું કે બોલરને મેન ઓફ ધ મેચ મળવો જોઈતો હતો. કોઈ ટીમને 130 અથવા 140 પર રોકવામાં આવે તો બોલરેએ સારું પ્રદર્શન કર્યું છે.’

નોંધનીય છે કે, ઇડન ગાર્ડન મેચમાં જાડેજાએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના નાના મેદાન પર જાડેજાની ઈકોનોમી રેટ માત્ર 4.5 રહી હતી. જાડેજાએ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમની વિકેટ લીધી હતી. તેના કારણે જ ન્યૂઝીલેન્ડની ટીમ મોટો સ્કોર ન કરી શકી. જાડેજા ઉપરાંત જસપ્રીત બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી.