BCCI Sacks Selection Committee: T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં શરમજનક હાર બાદ BCCI એક્શનમાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે ચેતન શર્માની આગેવાની હેઠળની સીનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ ટ્વિટર પર પોસ્ટ કરીને રાષ્ટ્રીય પસંદગીકારોની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે.






BCCI એ નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  રાષ્ટ્રીય પસંદગીકારો (વરિષ્ઠ પુરૂષો)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માંગે છે તેઓએ પોતાની અરજી પર વિચાર કરવા માટે માપદંડો પુરા કરવા જરૂરી છે.






નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે કુલ 5 વર્ષથી કોઈપણ ક્રિકેટ સમિતિના સભ્ય છે તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર નથી. અરજીઓ 28 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સબમિટ કરવી જરૂરી રહેશે.


અરજી માટેના માપદંડો વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે રાષ્ટ્રીય પસંદગીકાર (વરિષ્ઠ પુરુષો) માટે 5 જગ્યાઓ ખાલી છે. અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 વન-ડે  અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમેલી હોવી જોઈએ. ઉપરાંત, તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા રમતમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ.


T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાષ્ટ્રીય પસંદગીકારો (સિનિયર મેન્સ ટીમ)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમણે તેમની અરજીને ધ્યાનમાં લેવાના માપદંડોને સંતોષવા આવશ્યક છે.