Rishabh Pant Could Be Ruled Out For 6 Months: ભારતીય ક્રિકેટર ઋષભ પંત લગભગ હવે 6 મહિના સુધી ટીમ ઇન્ડિયાની બહાર રહી શકે છે, હાલમાં તેને મુંબઇની હૉસ્પીટલમાં શિફ્ટ કરવામા આવ્યો હતો, આ પહેલા તેની સારવાર દેહરાદૂન હૉસ્પીટલમાં ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને માથાના, પગમાં અને શરીરના અન્ય ભાગોમાં ખરાબ રીતે ઇજા પહોંચી હતી. 


હવે રિપોર્ટ છે કે, ઋષભ પંતને પણ રવીન્દ્ર જાડેજાની જેમ લિંગામેન્ટ સર્જરી કરાવવી પડશે, કાર અકસ્માતમાં ઋષભ પંતનું લિંગામેન્ટ બ્રેક થઇ ગયુ હતુ, હવે તેને 6 મહિના સુધી આરામ કરવો પડી શકે છે. 


ઋષભ પંતને હાલમાં મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ હૉસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, આને લઇને બીસીસીઆઇએ કહ્યું છે કે, ઋષભ પંતની લિંગામેન્ટ ઇન્જરી બાદ સર્જરી કરવામાં આવશે. આ કારણે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાની બહાર રહી શકે છે.  


ખાસ વાત છે કે, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાની ઇન્જરીમાં સમાનતા જોવા મળી છે. આ બન્ને લિંગામેન્ટ ઇન્જરીનો શિકાર બન્યા છે. આ પહેલા રવીન્દ્ર જાડેજા એશિયા કપ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, અને તેને પણ લિંગામેન્ટની સમસ્યા આવી હતી. ખરેખરમાં લિંગામેન્ટ ઇન્જરી કે લિંગામેન્ટ ટીયર બન્ને એક જ પ્રકારની ઇન્જરી હોય છે. લિંગામેન્ટ ફાઇબ્રશ ટિશૂનો એક સખત બેન્ડ હોય છે. આ હાડકાને હાકડા સાથે જોડવાનું કામ કરે છે. લિંગામેન્ટ ખુબ જ મજબૂત હોય છે, પરંતુ ઇજાના કારણે આ ટીયર પણ હોય શકે છે, આને લિંગામેન્ટ ઇન્જરી કે લિંગામેન્ટ ટીયર કહે છે. 


 


Rishabh Pant : ના હવામાં કે ના રોડ પર નડ્યો સહેજ પણ ટ્રાફિક, 'ખાસ રસ્તે'થી ઋષભ પંતને લવાયો મુંબઈ


Pant Shift Kokilaben Ambani Hospital : ટીમ ઈન્ડિયાના ઝંઝાવાતી બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંતની કાર અકસ્માત બાદ સારવાર ચાલી રહી છે અને BCCIના નિર્ણય બાદ તેને આજે સાંજે દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો છે. અહીં સ્ટાર ક્રિકેટર BCCI મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે અને આગળની સારવાર કરવામાં આવશે.


BCCIએ ઋષભ પંતને દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવા માટે મોટી તૈયારીઓ કરી હતી. અગાઉ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈએ ઋષભને મુંબઈ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને હવે આગળની સારવાર સંપૂર્ણ રીતે બોર્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે.


ઋષભ પંતને શિફ્ટ કરવા માટે ખાસ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યાર સુધી ઋષભની ​​સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ હવે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ખસેડવામાં આવ્યો છે. એર એમ્બ્યુલન્સ દ્વારા જ ઋષભને દેહરાદૂનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.


અહીં એરપોર્ટથી હોસ્પિટલ સુધી ઋષભ પંત માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઋષભ પંત બુધવારે મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યો હતો અને હવે આગળની સારવાર અહીં જ કરવામાં આવશે. થોડા દિવસો મુંબઈમાં રાખ્યા બાદ ઋષભ પંતને વધુ સારવાર માટે અમેરિકા અથવા ઈંગ્લેન્ડ પણ મોકલવામાં આવે તેવી પણ શક્યતા છે.