PM Modi congratulates Team India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ટીમે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ જીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું, "એક અસાધારણ રમત અને અસાધારણ પરિણામ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા બદલ અમારી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાનદાર પ્રદર્શન માટે અમારી ટીમને અભિનંદન."
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 25 વર્ષ જૂનો સ્કોર સરભર કર્યો હતો. ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને ટીમને જીત અપાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત દેશના અન્ય ઘણા નેતાઓએ પણ ભારતીય ટીમને આ મોટી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી પર કબજો કરીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે 2024માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. છેલ્લી ઓવરોમાં રોહિત શર્માના 76 રન, શ્રેયસ અય્યરના 48 રન અને હાર્દિક પંડ્યાના 18 રનની કેમિયો ઈનિંગે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ જીત સાથે ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે અને સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ બે વખત આ ટ્રોફી જીતી છે. ભારતે અગાઉ 2002માં શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરી હતી, અને 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 251 રન બનાવ્યા હતા. કિવિઝ તરફથી ડેરિલ મિશેલે 63 અને માઈકલ બ્રેસવેલે 53 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 252 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગિલે જોરદાર શરૂઆત અપાવી હતી અને 105 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 76 અને શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ અંતમાં 18 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે પણ 34 રનનું યોગદાન આપ્યું હતું.
આ જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો 25 વર્ષ જૂનો બદલો પણ પૂરો કર્યો છે. વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. તે મેચમાં ક્રિસ કેર્ન્સની સદી ભારતના સૌરવ ગાંગુલીની સદી પર ભારે પડી હતી. આ વખતે દુબઈમાં રવિન્દ્ર જાડેજાએ વિનિંગ ચોગ્ગો ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.
આ પણ વાંચો...
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?