India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં સાંજે 7 વાગ્યે રમાશે. આ વનડે શ્રેણી જીતીને ટીમ ઈન્ડિયા પહેલાથી જ 2-0થી આગળ છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા પર કોઈ દબાણ નહીં હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરીને એક્સપેરિમેન્ટ કરી શકે છે.


ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં મોટા ફેરફાર કરશે


આ શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે ફોર્મેટમાં સતત 12મી સિરીઝ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ કોઈ એક ટીમનું કોઈ એક વિરોધી ટીમ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય કોચ રાહુલ દ્રવિડ આ મેચમાં કેટલાક નવા ખેલાડીઓને અજમાવી શકે છે, પરંતુ તે જીતની ગતિ જાળવી રાખવા માટે ટીમનું સંતુલન જાળવવાનો આગ્રહ રાખશે.


આ ખેલાડીઓને તક મળી શકે છે


બેટિંગ વિભાગમાં ઋતુરાજ ગાયકવાડને શુભમન ગિલ કરતાં પ્રાધાન્ય મળવાની શક્યતા ઓછી છે. શુભમન ગિલે છેલ્લી બે મેચમાં 64 અને 43 રનની બે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ઋતુરાજ ગાયકવાડને સાઉથ આફ્રિકા સામેની આખી સિરીઝમાં રમવાની તક મળી હતી, જેમાં તે ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.


શ્રેયસ અય્યર અને સંજુ સેમસને પણ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં નિષ્ફળતા મળી હોવા છતાં તેના આગળના ફોર્મના આધારે બીજી તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઈશાન કિશનને બહાર બેસવું પડશે. આ શ્રેણી માટે શિખર ધવનની સાથે રવિન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે ઓલરાઉન્ડર તરીકે પ્રથમ પસંદગી હતો, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે પ્રથમ બે મેચો રમી શક્યો નહોતો.


અક્ષર પટેલના આ પ્રદર્શનને ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી


જાડેજા ત્રીજી મેચમાં રમવા માટે ઉપલબ્ધ થશે કે કેમ તે પણ નિશ્ચિત નથી. તો બીજી તરફ તેની ગેરહાજરીમાં અક્ષર પટેલે બીજી મેચમાં અણનમ 64 રન બનાવી ભારતને જીત અપાવી હતી. પટેલના આ પ્રદર્શનને ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી.


આવેશને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળે તેવી શક્યતા


આવેશ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પાસે એક પ્રકારની બોલિંગ સ્ટાઈલ છે અને તેથી, તેમાંથી માત્ર એક જ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. જ્યાં સુધી વેસ્ટ ઈન્ડિઝનો સવાલ છે, તેમની પાસે ક્ષમતા છે, પરંતુ તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેણે અત્યાર સુધી શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અથવા રોમેરો શેફર્ડ પર આધાર રાખ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમે અત્યાર સુધી નિર્ણાયક પ્રસંગોમાં સારું પ્રદર્શન કર્યું નથી. સિરીઝની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ જેસન હોલ્ડરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. 


બે સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના


જો ધવન બે ડાબા હાથના સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના બનાવે છે, તો યુઝવેન્દ્ર ચહલને બહાર બેસવું પડી શકે છે, પરંતુ તેનાથી ભારતીય બોલિંગમાં વિવિધતાનો અભાવ જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઈંગ્લેન્ડમાં વન-ડે દરમિયાન જાંઘના સ્નાયુમાં તકલીફ થઈ હતી પરંતુ હવે તે ફિટ છે અને ડાબોડી ફાસ્ટ બોલર હોવાના કારણે તેને આવેશ ખાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આવશે બીજી વનડેમાં છ ઓવરમાં 54 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ પણ મળી ન હતી.