India vs Australia 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે (22 માર્ચ) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. તે ભારત અને ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોની મેચ રહેશે. જે ટીમ ત્રીજી વનડે જીતશે તે ટ્રોફી કબજે કરશે. વર્તમાન વનડે શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. મુંબઈમાં રમાયેલી પ્રથમ ODIમાં ભારતે મહેમાનોને 5 વિકેટે હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. જો કે, આ શ્રેણીમાં અત્યાર સુધી જે ટીમ પાછળથી બેટિંગ કરે છે તેણે મેચ જીતી છે. પરંતુ ચેન્નાઈનો ઈતિહાસ અલગ રહ્યો છે.


ટોસ બોસ બની જશે


ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. કારણ કે ચેન્નઈમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ વધુ વનડે જીતી છે. જો આંકડાઓ પર નજર કરીએ તો એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી 22 ODIમાંથી 13 મેચો ટીમે પ્રથમ બેટિંગ કરીને જીતી છે. પરંતુ વર્ષ 2019માં આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝે બીજી બેટિંગ કરતા ભારત સામેની મેચ જીતી હતી. એકંદરે ત્રીજી મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. કારણ કે ચેપોકમાં પહેલા સ્પિનરો સફળ રહ્યા છે. આવી સ્થિતિમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જો કે, આ સિરીઝની છેલ્લી બે મેચોમાં ઝડપી બોલરોનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોએ ભારત સામેની બીજી વનડેમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. પ્રથમ વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ વધુ વિકેટ લીધી હતી. પરંતુ ત્રીજી વનડેમાં સ્પિન ફ્રેન્ડલી વિકેટના કારણે ફાસ્ટ બોલરોને બદલે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનરોને તક મળશે.


Ind vs Aus 3rd ODI: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે, શું સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ-11માં કરાશે બહાર?


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચ (બુધવાર) ના રોજ ચેન્નઈમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે અને વિજેતા ટીમ વનડે શ્રેણી પર કબ્જો કરી લેશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.


શું સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ-11માંથી બહાર થશે?


ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કોમ્બિનેશન પર પણ ચાહકોની નજર રહેશે. પ્રથમ બે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની સામે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખાસ કમાલ બતાવી શક્યો નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું અને તે બંને મેચમાં પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમારને ત્રીજી વનડેમાં તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. જોકે રોહિત શર્માએ સંકેત આપ્યા છે કે સૂર્યકુમારને વધુ તક આપવામાં આવશે.


રોહિતે બીજી વનડે બાદ કહ્યું હતું કે, 'અમને શ્રેયસ ઐય્યરની વાપસી વિશે ખબર નથી. શ્રેયસની જગ્યા ખાલી છે તેથી અમે સૂર્યાને જ મેદાનમાં ઉતારીશું. મેં ઘણી વખત કહ્યું છે કે જેની પાસે ક્ષમતા છે તેમને તક મળશે. સૂર્યા જાણે છે કે તેણે વનડેમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. સક્ષમ ખેલાડીઓએ ક્યારેય એવું ન અનુભવવું જોઈએ કે તેમને પૂરતી તકો આપવામાં આવી નથી