IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે થયો જલાભિષેક
India vs Pakistan T20 World Cup Match: ટી20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાઈ રહ્યા છે. જેને લઈને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ખાસ પૂજા કરવામાં આવી હતી, જ્યાં ભક્તોએ ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.

T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 ની 27 મી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. કાગળ પર ભારત ભલે ગમે તેટલું મજબૂત હોય, પરંતુ જ્યારે પણ પાકિસ્તાન સામે મેચ હોય છે ત્યારે ખેલાડીઓ પર દબાણ રહે છે. આ પ્રતિષ્ઠાની લડાઈ જેવું હોય છે, જેને બંને દેશો જીતવા માંગે છે. માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ચાહકો પણ આ મુકાબલા માટે સૌથી વધુ રોમાંચિત હોય છે. ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ટીમ ઈન્ડિયાની જીત માટે વિશેષ પૂજા કરવામાં આવી હતી.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ આજે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. જેમ જેમ મેચનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ દર્શકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. આ મુકાબલામાં હંમેશા એ ડર રહે છે કે ક્યાંક ભારત હારી ન જાય. તેથી જ આ મેચ પહેલા ભારતની જીત માટે ઠેર-ઠેર હવન-પૂજા થાય છે. આજે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પાકિસ્તાન સામે ભારતની જીત માટે વિશેષ પૂજા થઈ હતી. ભક્તોએ શિવલિંગ પાસે ટીમ ઈન્ડિયાના પોસ્ટર સાથે પૂજા કરી અને ભારતની જીતની કામના કરી.
આજે શિવરાત્રી પણ છે, આ નિમિત્તે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ભારતની જીતની કામના કરતા વિશેષ મંત્રોચ્ચાર સાથે જલાભિષેક કરવામાં આવ્યો.
#WATCH | Ujjain, Madhya Pradesh: As India prepares to face Pakistan in ICC Men’s T20 World Cup 2026 match today, devotees and cricket fans have swarmed the Shri Mahakaleshwar Jyotirlinga temple in Ujjain to pray for an Indian victory. pic.twitter.com/QtY7wYeZoh
— ANI (@ANI) February 15, 2026
એક ભક્તે ANI સાથે વાત કરતા કહ્યું, "આજે મહાશિવરાત્રી પણ છે અને ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પણ છે. અમે બાબા મહાકાલ પાસે ટીમ ઈન્ડિયા વિજયી બને તેવી કામના કરી છે."
અભિષેક શર્મા પાકિસ્તાન સામે રમશે કે નહીં?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન વિરુદ્ધના મહત્વના મુકાબલામાં અભિષેક શર્મા (Abhishek Sharma) ટીમ ઇન્ડિયાના અંતિમ ૧૧ ખેલાડીઓનો ભાગ રહેશે. અભિષેકની આક્રમક બેટિંગ સ્ટાઈલ ભારત માટે મોટો ફાયદો (Advantage) સાબિત થઈ શકે છે. પાકિસ્તાનના નવા સ્પિનર ઉસ્માન તારિકની બિનપરંપરાગત બોલિંગ એક્શન (Bowling Action) અંગે વાત કરતા સૂર્યાએ જણાવ્યું કે ભારતીય ટીમ તેની સામે કોઈ પણ પ્રકારની તૈયારી વગર મેદાને ઉતરશે નહીં. તેણે ઉમેર્યું કે ભલે ઉસ્માન તારિક એક અનોખું વ્યક્તિત્વ હોય અને તેનો સામનો કરવો 'આઉટ ઓફ સિલેબસ' પ્રશ્ન જેવું લાગે, પરંતુ ભારતીય બેટ્સમેનો તેની સામે શરણાગતિ સ્વીકારવાને બદલે પડકાર ઝીલવા માટે તૈયાર અને ઉત્સાહિત છે.




















