ICC ના ઉપપ્રમુખ ઈમરાન ખ્વાજાએ લાહોરમાં ICC, PCB અને BCB વચ્ચેની ગુપ્ત બેઠકમાં પોતાની કાયદાકીય અને રાજદ્વારી કુનેહથી પાકિસ્તાનને મનાવી લીધું.
IND vs PAK: પાકિસ્તાન કેવી રીતે માની ગયું? કોના કહેવાથી લીધો 'યુ-ટર્ન'? જાણો Inside Story
લાહોર બેઠકનો ઘટસ્ફોટ: બહિષ્કારની જીદ પર અડગ PCB અચાનક 15 ફેબ્રુઆરીએ રમવા કેમ તૈયાર થયું? ICC ના 'વકીલ' ઈમરાન ખ્વાજાએ પાર પાડ્યું મિશન; જાણો પાકિસ્તાનની કઈ શરતો સ્વીકારાઈ અને કઈ ફગાવી દેવાઈ.

Ind vs Pak T20 World Cup 2026: 'ટી20 વર્લ્ડ કપ 2026' (T20 World Cup 2026) ના સૌથી હાઈ-વોલ્ટેજ ડ્રામાનો હવે સુખદ અંત આવ્યો છે. થોડા દિવસો પહેલા સુધી ભારત સામે મેચ ન રમવાની જીદ પકડીને બેઠેલું પાકિસ્તાન હવે અચાનક 'યુ-ટર્ન' (U-turn) લઈને 15 February ના રોજ મેદાનમાં ઉતરવા માટે સહમત થઈ ગયું છે. આખરે રાતોરાત એવું તો શું રંધાયું કે 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ' (PCB) ઢીલું પડ્યું? લાહોરમાં 'ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ' (ICC), PCB અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે યોજાયેલી ગુપ્ત બેઠકની 'અંદરની વાત' (Inside Story) હવે સપાટી પર આવી છે.
આ આખી હાઈ-પ્રોફાઈલ ડીલ પાર પાડવા પાછળ ICC ના ઉપપ્રમુખ ઈમરાન ખ્વાજા (Imran Khwaja) ની મુખ્ય ભૂમિકા રહી છે, જેમને આ મિશનના 'સંકટમોચક' (Troubleshooter) માનવામાં આવે છે. વ્યવસાયે વકીલ એવા ઈમરાન ખ્વાજા ક્રિકેટ જગતમાં ખૂબ જ આદરણીય નામ છે. એસોસિયેટ દેશો હોય કે પૂર્ણ સભ્યો, સૌ કોઈ તેમનું સન્માન કરે છે.
ICC હંમેશા રાજકીય રીતે સંવેદનશીલ અને ગૂંચવાયેલા મુદ્દાઓ ઉકેલવાની જવાબદારી ખ્વાજાને સોંપે છે. લાહોર બેઠકમાં તેમની હાજરી જ એ સાબિત કરતી હતી કે ICC કોઈપણ ભોગે આ મામલો થાળે પાડવા માંગતું હતું અને ખ્વાજાએ પોતાની કાયદાકીય અને રાજદ્વારી કુનેહથી પાકિસ્તાનને મનાવી લીધું છે.
પાકિસ્તાને મેચ રમવા માટે જે શરતો મૂકી હતી, તેમાં મુખ્યત્વે બાંગ્લાદેશને ફાયદો થયો છે. '2026 વર્લ્ડ કપ' માંથી બાંગ્લાદેશને બહાર રાખવાના બદલામાં તેમને જંગી 'આર્થિક વળતર' (Financial Compensation) આપવામાં આવશે. આ ઉપરાંત, એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં બાંગ્લાદેશને કોઈ મોટી ICC ટુર્નામેન્ટ હોસ્ટ કરવાની મંજૂરી મળી શકે છે, જેથી તેમનું નુકસાન સરભર થઈ શકે.
આર્થિક બાબતોમાં પણ મોટી સહમતી સધાઈ છે. બાંગ્લાદેશના ICC 'રેવન્યુ શેર' (Revenue Share) માં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. જ્યારે પાકિસ્તાને પોતાની આવક વધારવાની જે માંગણી કરી હતી, તેના પર ICC એ કહ્યું છે કે તે બાબત હાલ "વિચારણા હેઠળ" (Under Consideration) છે. એટલે કે ભવિષ્યમાં PCB ને વધુ ફંડ મળી શકે છે, જે આશ્વાસન મળતા બોર્ડ માની ગયું છે.
જોકે, ભારત સાથેના સીધા સંબંધો મામલે પાકિસ્તાનને નિરાશા હાથ લાગી છે. ભારત સાથે ફરીથી 'બાયલેટરલ સિરીઝ' (Bilateral Series) શરૂ કરવાની પાકિસ્તાનની માંગ ICC એ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની 'ત્રિકોણીય શ્રેણી' (Tri-series) નો પ્રસ્તાવ પણ ICC એ પોતાના અધિકારક્ષેત્ર બહારનો ગણાવીને નકારી કાઢ્યો છે.
આ ઉપરાંત, પાકિસ્તાને એવી પણ વિચિત્ર માંગ કરી હતી કે BCCI ને તેમની 'હેન્ડશેક પોલિસી' (Handshake Policy) એટલે કે ખેલાડીઓ હાથ ન મિલાવવાની નીતિ બદલવા કહેવામાં આવે. પરંતુ ICC એ આ બાબતે દખલ કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આમ, કેટલીક શરતો મંજૂર અને કેટલીક નામંજૂર થતા આખરે ક્રિકેટનો વિજય થયો છે અને ચાહકોને ભારત-પાક મુકાબલો જોવા મળશે.
Frequently Asked Questions
ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવા માટે પાકિસ્તાન કેવી રીતે સંમત થયું?
પાકિસ્તાનની મેચ રમવા માટેની શરતોથી બાંગ્લાદેશને શું ફાયદો થયો?
બાંગ્લાદેશને 2026 વર્લ્ડ કપમાંથી બહાર રાખવાના બદલામાં જંગી આર્થિક વળતર મળશે અને ભવિષ્યમાં મોટી ICC ટુર્નામેન્ટ હોસ્ટ કરવાની મંજૂરી મળી શકે છે.
ICC એ પાકિસ્તાનની કઈ માંગણીઓને ફગાવી દીધી છે?
ICC એ ભારત સાથે ફરીથી દ્વિપક્ષીય શ્રેણી શરૂ કરવાની અને ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય શ્રેણીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો છે.
શું BCCI તેની 'હેન્ડશેક પોલિસી' બદલશે?
ICC એ પાકિસ્તાનની BCCI ને 'હેન્ડશેક પોલિસી' બદલવા કહેવાની માંગણી પર દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.




















