IND vs SL 3rd ODI: કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડેની પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ ચૂકી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ભારતીય ટીમને જીત માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને કોલકત્તા વનડેમાં પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતુ, પહેલા બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ નિર્ધારિત 50 ઓવર પણ પુરી ન હતી રમી શકી. શ્રીલંકા ટીમ 39.4 ઓવર રમીને માત્ર 215 રનોમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ ભારતીય ટીમને બીજી વનડે જીતવા માટે 216 રનોનો ટાર્ગેટ મળ્યો હતો.


મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ તરફથી નુવાન્દુ ફર્નાન્ડો સૌથી વધુ રન 50 રન બનાવી શક્યો હતો, આ સિવાય કોઇપણ બેટ્સમેન ક્રિઝી પર લાંબો સમય સુધી ટકી શક્યા ન હતા. ફર્નાન્ડોએ 63 બૉલમાં 6 ચોગ્ગા સાથે અર્ધશતકીય 50 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. 


આ ઉપરાંત શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ 34 રન, દુનીથ વેલાલેગે 32 રન, અને આવિષ્કા ફર્નાન્ડો 20 રન અને વાનિન્દુ હસરંગાએ 21 રનની ઇનિંગ રમી હતી.


ભારતીયી ટીમે ફરી એકવાર શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યુ હતુ. ભારત તરફથી સિરાજ અને કુલદીપ યાદવનો તરખાટ જોવા મળ્યો હતો, બન્નેએ 3-3 વિકેટો ઝડપી હતી, આ ઉપરાંત ઉમરાન મલિક 2 અને અક્ષર પટેલ 1 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા. 


ભારતીય ટીમ પહેલીથી સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે - 
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિઆએ રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ વનડે મેચ જીતી લીધી હતી, આ સાથે જ સીરીઝમાં પહેલાથી ભારતીય ટીમ 1-0થી લીડ બનીવી ચૂકી છે, આજની મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે.