ભારતના ક્યા બોલરની સ્ટ્રેઈટમાં સિક્સર જોઈને વિરાટનું મોં ખુલ્લુ જ રહી ગયું, પંત પણ થઈ ગયો દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 11:19 AM (IST)
237 રનના સ્કોર પર ઈશાંત શર્માની 9મી વિકેટ પડી ત્યારે સદી પૂરી કરવા અશ્વિનને 18 રનની જરૂર હતી.
ચેન્નઈઃ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ 286 રનમાં ઓલઆઉટ થઈ હતી. અશ્વિને અઘરી પીચ પર શાનદાર બેટિંગ કરતાં 106 રન બનાવ્યા હતા. કોહલીએ 62 રન બનાવ્યા હતા. 237 રનના સ્કોર પર ઈશાંત શર્માની 9મી વિકેટ પડી ત્યારે સદી પૂરી કરવા અશ્વિનને 18 રનની જરૂર હતી. પરંતુ આ દરમિયાન બધાની નજર મોહમ્મદ સિરાજ પર હતી. તેણે ન માત્ર અશ્વિનને સદી કરવાની તક આપી પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. સિરાજે બે તોતિંગ છગ્ગા સાથે અણનમ 16 રન બનાવ્યા હતા. સિરાજે સ્ટ્રેઇટમાં ફટકારેલી સિક્સર જોઈને વિરાટનું તો મોં જ ખુલ્લુ રહી ગયું હતું. જ્યારે પંત પણ દંગ રહી ગયો હતો.