શોધખોળ કરો

મેચ

IPL 2021, Uncapped Players: ઘરેલુ ક્રિકેટમાં તરખાટ મચાવનાર આ પાંચ ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ આ સીઝનમાં કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગતે

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14 મી સિઝન શરૂ થવામાં માત્ર બે જ દિવસ બાકી છે. 9 એપ્રિલથી આઈપીએલ શરુ થવા જઈ રહી છે. આ સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)અને મુંબઇ ઇન્ડિયન્સ (MI)વચ્ચે રમાવાની છે

IPL 2021 : ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14 મી સિઝન શરૂ થવામાં માત્ર બે જ દિવસ બાકી છે. IPLએ ભારતીય ક્રિકેટ ટીમ(Team India)ને ઘણા સ્ટાર ખેલાડીઓ આપ્યા છે. આ વર્ષે પણ આઈપીએલમાંથી ઘણા ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ શકે છે. આ સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)અને મુંબઇ ઇન્ડિયન્સ (MI)વચ્ચે રમાવાની છે.  ત્યારે જાણો, કયા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ આ સીઝનમાં ડેબ્યૂ કરી શકે છે.

મોહમ્મદ અઝહરુદ્દીન 

ઘરેલું ક્રિકેટમાં કેરળ તરફથી રમનારા 27 વર્ષના વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammed Azharuddeen)ને આઈપીએલ 2021 (IPL 2021)ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2021 માં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીમાં અઝહરુદ્દીન 37 બોલમાં સદી ફટકાર્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. તોફાની બેટિંગ માટે જાણીતો અઝહરુદ્દીન આ વર્ષે આઇપીએલમાં ડેબ્યૂ કરશે એમ માનવામાં આવે છે.

 અર્જૂન તેંડુલકર 

આઈપીએલ 2021 ની હરાજીમાં 20 લાખ રૂપિયાના બેઝ ઇનામ માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદ્યો છે. અર્જુન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તેમજ વિસ્ફોટક બેટ્સમેન પણ છે. અર્જુનના ઓલરાઉન્ડરના પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે, મુંબઈ તેને આ વર્ષે ડેબ્યૂ કરવાની તક આપી શકે છે.


વિરાટ સિંહ 


વિરાટ સિંહ(Virat Singh)ને ઘરેલું ક્રિકેટમાં ટી20 નિષ્ણાંત માનવામાં આવે છે. તેણે આ ફોર્મેટમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. ટી 20 ક્રિકેટની 61 મેચોમાં 37.54 ની સરેરાશથી 1802 રન બનાવ્યા છે. વિરાટને સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2020ની હરાજીમાં 1.90 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ગત સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. જો કે, આ વર્ષે, તેના વર્તમાન પ્રદર્શનને  જોતા તક મળી શકે છે.

શાહરુખ ખાન


આઈપીએલ 2021 (IPL 2021) ની હરાજીમાં 25 વર્ષીય ઓલરાઉન્ડર શાહરૂખ ખાન (Shahrukh Khan)ને પંજાબ કિંગ્સે 5.25 કરોડમાં ખરીદ્યો હતો. શાહરુખ ઘરેલું ક્રિકેટના શ્રેષ્ઠ મેચ ફિનીશર્સ તરીકે ઉભરી આવ્યો છે. તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીમાં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગનો દાખલો રજૂ કર્યો હતો. આઈપીએલ 2021 માં શાહરૂખની ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 કેએસ ભરત 


આંધ્ર તરફથી ઘરેલું ક્રિકેટમાં રમતા 27 વર્ષીય  વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરત (KS Bharat)ને આઈપીએલ 2021 ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ભરતના નામે 48 ટી20 મેચોમાં 730 રન છે. એબી ડી વિલિયર્સ પછી ભરત આરસીબીનો બીજો વિકેટકીપર છે. એવામાં તે આ વર્ષે ડેબ્યૂ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget