Virat Kohli Retirement: ઓસ્ટ્રેલિયા સામેની બંને વનડે મેચમાં વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. પહેલી મેચમાં 8 બોલ અને બીજી મેચમાં 4 બોલ રમ્યા બાદ તે 0 રન પર આઉટ થયો હતો. એડિલેડ વનડેમાં વિરાટ 0 રન પર આઉટ થયો ત્યારથી, તેની નિવૃત્તિની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સિડની વનડે પછી સોશિયલ મીડિયા પર નિવૃત્તિનો ટોપીક ટ્રેન્ડ થઈ રહ્યો છે. વિરાટની નિવૃત્તિ અંગે અટકળો શા માટે વેગ પકડી રહી છે.
નિવૃત્તિની ચર્ચા શા માટે થઈ રહી છે?
વિરાટ કોહલીની નિવૃત્તિ વિશે ચર્ચાનું એક કારણ એ છે કે એડિલેડ વનડેમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયા પછી, તેણે પેવેલિયન પરત ફરતી વખતે હાથ ઊંચો કર્યો હતો. તે સ્પષ્ટ નથી કે તેણે ફક્ત ચાહકોના શુભેચ્છા સ્વીકારવા માટે આ કર્યું હતું કે તેણે આ હાવભાવથી નિવૃત્તિનો સંકેત આપ્યો હતો.
વિરાટ કોહલીનો આ જ ફોટો સોશિયલ મીડિયા પર વારંવાર શેર થઈ રહ્યો છે. નોંધનીય છે કે વિરાટ પહેલાથી જ T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે, એડિલેડ વનડેના વાયરલ ફોટાએ તેની ODI નિવૃત્તિને ટ્રેન્ડિંગ વિષય બનાવી દીધો છે.
સુનિલ ગાવસ્કરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
વિરાટ કોહલીના હાથ ઉંચા કરવાના ઈશારાએ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા. સુનિલ ગાવસ્કરે જવાબ આપ્યો, "વિરાટ કોહલીના 14,000 થી વધુ ODI રન, 51 સદી અને 31 ટેસ્ટ સદી છે. તેણે હજારો રન બનાવ્યા છે. મને નથી લાગતું કે બે નિષ્ફળતાઓ માટે તેની વધુ ટીકા થવી જોઈએ. તેની પાસે હજુ ઘણું ક્રિકેટ બાકી છે." તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ 304 ODI મેચોની કારકિર્દીમાં 14,181 રન બનાવ્યા છે. તે ODI ઇતિહાસમાં સૌથી વધુ સદીઓ બનાવનાર બેટ્સમેન છે. તેણે 73 અડધી સદી ફટકારી છે અને તેની સરેરાશ 57.41ની છે.
નોધનિય છે કે, લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર પરત ફરેલા કોહલી પાસેથી ફેન્સને ઘણી આશા હતી કે તે કોઈ મોટી ઈનિંગ રમશે. પરંતુ વિરાટ આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેમના આ ફોર્મને લોકો 2027 વનડે વર્લ્ડ કપ સાથે પણ જોડી રહ્યા છે. કારણ કે, ઘણા અહેવાલો આવ્યા છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 વનડે વિશ્વ કપ રમવા માગે છે.