કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Kochi Tuskers IPL Row: : આઈપીએલ (IPL) ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ 2010 માં કોચી ટસ્કર્સ આઈપીએલ ફ્રેન્ચાઈઝીની આસપાસ થયેલા વિવાદને યાદ કરતા વિસ્ફોટક દાવા કર્યા છે.

Kochi Tuskers IPL Row: : આઈપીએલ (IPL) ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ 2010 માં કોચી ટસ્કર્સ આઈપીએલ ફ્રેન્ચાઈઝીની આસપાસ થયેલા વિવાદને યાદ કરતા વિસ્ફોટક દાવા કર્યા છે. હાલમાં યુકે (UK) માં રહેતા લલિત મોદીએ દાવો કર્યો છે કે તે વિવાદ દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરૂરને રાજકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ANI ને આપેલા એક ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ દાવો કર્યો હતો કે જ્યારે તેમણે શશી થરૂરના સ્વર્ગસ્થ પત્ની સુનંદા પુષ્કર સાથે જોડાયેલા કથિત છેતરપિંડીવાળા ઇક્વિટી માળખાને કારણે કોચી કન્સોર્ટિયમની એન્ટ્રી રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તત્કાલીન શાસક યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) સરકારની આખી મશીનરી તેમને (લલિત મોદીને) નીચે પાડવા માટે એક થઈ ગઈ હતી.
આ પણ વાંચો..IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ
જ્યારે પૂછવામાં આવ્યું કે શશી થરૂરને કોણ સપોર્ટ કરી રહ્યું હતું, ત્યારે લલિતે કહ્યું, "સોનિયા ગાંધી. બધી બાજુથી મારી સામે બંદૂકો તાણવામાં આવી હતી. મને એ દિવસોમાં અહેમદ પટેલના ફોન આવ્યા હતા; મને પ્રણબ મુખર્જીના ફોન આવ્યા હતા... હું તે બધા સાથે મૈત્રીપૂર્ણ હતો. રાજીવ શુક્લા પણ મારી પાસે આવીને કહેતા હતા કે, આ કરો, પેલું કરો."
#WATCH | IPL founder and first chairman Lalit Modi says, "Nobody has asked this question. How did I allow Kochi to bid in the system?... Kochi didn't even have a stadium. So why did I allow Kochi to come into the system?... Why did I open it for him (Shashi Tharoor)? Because he… pic.twitter.com/M8Q4qTjQi2
— ANI (@ANI) June 4, 2026
લલિત મોદીના જણાવ્યા અનુસાર, આ વિવાદ એટલા માટે શરૂ થયો કારણ કે તેમણે કોચી કન્સોર્ટિયમ દ્વારા રજૂ કરાયેલા કથિત રીતે પક્ષપાતી નાણાકીય મોડલને નજરઅંદાજ કરવાનો ઇનકાર કર્યો હતો. આ ગ્રુપે $350 મિલિયનની વિશાળ બોલી લગાવીને આ નવી ટીમ મેળવી હતી, પરંતુ માળખાકીય રીતે ગણતરી કરીએ તો તે એક મોટા નાણાકીય પતનની તરફ ઈશારો કરતી હતી.
"તે મહિલા, સુનંદા પુષ્કર સિવાયના તમામ શેરધારકો ત્યાં હાજર હતા. તમે સુનંદા પુષ્કર નામની મહિલાને 25% શેર મફતમાં આપી રહ્યા છો. તે કોણ છે? તમે રેવન્યુ (આવક) ના 15% છોડી રહ્યા છો. તે કોણ છે?" લલિત મોદીએ કન્સોર્ટિયમના સભ્યોને પૂછેલા સવાલને યાદ કરતા કહ્યું.
#WATCH | On the 'fugitive' tag, IPL founder and first chairman Lalit Modi says, "I'm not running at all... The Indian government has a long arm. You can't take on the government of India. And I don't intend to, and I don't want to... Not a single case against me has been… pic.twitter.com/zwqALNoY1g
— ANI (@ANI) June 4, 2026
લલિત મોદીએ પ્રશ્ન ઉઠાવ્યો, "કોઈ વ્યક્તિ એવા કન્સોર્ટિયમ માટે $350 મિલિયન કેવી રીતે ચૂકવી શકે જ્યાં 75% શેરધારકો 100% ખર્ચ ચૂકવી રહ્યા છે અને અન્ય કોઈને 25% ફ્રી ઇક્વિટી મળી રહી છે? જે દિવસે તેને ટીમ મળી, તે દિવસે તેના 10-રૂપિયાના શેરની કિંમત 1 લાખ રૂપિયા હતી. જ્યારે બાકીના લોકોના 10-રૂપિયાના શેરની કિંમત 1 પૈસો હતી. હું જાણતો હતો કે આ પડી ભાંગવાનું છે. અને શું થયું? 2 વર્ષ પછી તે ખરેખર પડી ભાંગ્યું,".
લલિત મોદીએ દાવો કર્યો હતો કે આ વિવાદ બેંગલુરુમાં મોડી રાત્રે મળેલી એક બેઠક દરમિયાન ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યાં તેમણે ફ્રેન્ચાઈઝીના ઓફિશિયલ કરાર પર ત્યાં સુધી સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો જ્યાં સુધી પડદા પાછળના શેરધારકોની ઓળખ જાહેર ન થાય. "મને કોઈ ખ્યાલ નહોતો કે સુનંદા પુષ્કર કોણ છે. મેં કન્સોર્ટિયમના સભ્યોને પૂછ્યું, 'તે કોણ છે?' એક વ્યક્તિએ કહ્યું કે તે ઓટોમોબાઈલ ડીલરનું સંતાન છે, એક પ્રખ્યાત માર્કેટિંગ પર્સન છે. મેં કહ્યું, 'હેલો, હું ભારતમાં માર્કેટિંગ પર્સન છું અને હું નથી જાણતો કે તે કોણ છે,".
લલિત મોદીએ વધુમાં દાવો કર્યો હતો કે તેમણે પુષ્કરની ઓળખ જાણ્યા વિના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ત્યારબાદ તેમને તત્કાલીન વિદેશ રાજ્ય મંત્રી શશી થરૂરનો ફોન આવ્યો હતો.
લલિત મોદીએ યાદ કરતા કહ્યું. "તેમણે (થરુર) કહ્યું, 'લલિત, સુનંદા પુષ્કર વિશે ના પૂછો. તે મારી સારી મિત્ર છે.' મેં પૂછ્યું કેમ, તો તેમણે કહ્યું, 'જો તમે પૂછશો, તો હું સવારે તમારી પર રેડ (આઈટી દરોડા) પડાવીશ.' મેં કહ્યું, 'તમે ભાડમાં જાઓ. તમે તમારી જાતને શું સમજો છો? તમે ભારતના વિદેશ મંત્રી હોઈ શકો છો, પરંતુ મને આવું કહેવાની હિંમત ક્યારેય ન કરતા.' મેં ફોન કાપી નાખ્યો અને કહ્યું કે હું સહી નહીં કરું."
લલિત મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે કેરળમાં સ્ટેડિયમ ન હોવા છતાં તેમણે કોચીને આઈપીએલની બિડિંગમાં સામેલ થવા દીધું હતું. "થરૂરે તે સમયે આ કામ કરાવવા માટે મારી ઘણી ખુશામત કરી હતી. તે મારા ઘરે આવ્યા હતા. તેઓ કોઈ શંકા વિના ખૂબ જ મીઠું બોલનારા હતા. હું તેમની વાતોમાં આવી ગયો," તેમણે કહ્યું. કોચી ફ્રેન્ચાઈઝીને 2011 માં બીસીસીઆઈ (BCCI) દ્વારા ટર્મિનેટ (રદ) કરવામાં આવી હતી. KCPL અને RSW ની માલિકીની કોચી ફ્રેન્ચાઈઝી 2011 માં માત્ર એક જ આઈપીએલ સીઝન રમી શકી હતી, જેમાં તે 10 ટીમોમાંથી 8 મા ક્રમે રહી હતી. એપ્રિલ 2010 માં થયેલા આ વિવાદ બાદ થરૂરે 2010 માં વિદેશ રાજ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 2014 માં મૃત્યુ પામ્યા તે પહેલા સુનંદા પુષ્કર સાથે ટ્વિટર પર થયેલી વાતચીત અંગે લલિત મોદીએ કહ્યું: "તે સવારે સુનંદા ટ્વિટર પર મારી સાથે વાતચીત કરી રહી હતી... તેણે કહ્યું, 'શું મારે ખુલાસો કરવો જોઈએ?' મેં કહ્યું, 'આગળ વધો અને ખુલાસો કરો'."
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય સ્વર્ગસ્થ સુનંદા સાથે રૂબરૂ વાત કરી ન હતી. પુષ્કર 17 જાન્યુઆરી 2014 ની રાત્રે શહેરની એક લક્ઝરી હોટેલના સ્યુટમાં મૃત હાલતમાં મળી આવી હતી. લલિતે આક્ષેપ કર્યો હતો કે તત્કાલીન બીસીસીઆઈ પ્રમુખ શશાંક મનોહરે તેમને મોડી રાત્રે ફોન કર્યો હતો અને તરત જ કરાર પર સહી કરવા દબાણ કર્યું હતું. સવાર સુધી સહી કરવાનું ટાળવા માટેની લલિત મોદીની વિનંતીઓ છતાં, મનોહરે તરત જ સહી કરવાનો આદેશ આપ્યો હતો.
"મેં તેમને કહ્યું, 'શશાંક, હું આ કરાર પર દબાણ હેઠળ સહી કરી રહ્યો છું. અને હું દસ્તાવેજ પર એ પણ નોંધીશ કે પ્રમુખ મને સહી કરવા માટે મજબૂર કરી રહ્યા છે.' અને મેં તે નોંધ્યું પણ હતું," લલિત મોદીએ કહ્યું. લંડનમાં તેમના જીવન અને રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ સહિતના ટોચના નેતાઓ સાથેના તેમના સંબંધો પર વાત કરતા લલિત મોદીએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેઓ કાયદાથી બચવા માટે રાજકીય મદદ લેતા હતા, જોકે તેમણે આમાં એક અત્યંત વ્યક્તિગત અપવાદ ગણાવ્યો હતો. જ્યારે તેમનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો ત્યારે પોર્ટુગલ જવા માટે ઈમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજે તેમને મદદ કરી હોવાના વિવાદ અંગે લલિત મોદીએ જણાવ્યું કે તે સંપૂર્ણપણે માનવતાનો મામલો હતો. "તે મારી પત્નીના મૃત્યુનો સમય હતો. તેને બ્રેઈન ટ્યુમર હતું. જ્યારે પરિવારની વાત આવે, ત્યારે મેં શું ખોટું માંગ્યું? મારી પત્નીની સર્જરી થવાની હતી અને ટ્યુમર રાહ જોવાનું નહોતું. શું તમને લાગે છે કે હું તેની સાથે રહેવા માટે મારા ખિસ્સામાં રહેલું છેલ્લું પત્તું કે દરેક સંભવિત પ્રયાસ નહીં કરું? તે પત્તું (કાર્ડ) સુષ્મા સ્વરાજ હતા. તે એ વ્યક્તિ હતા જેમને હું ઓળખતો હતો. જીવનમાં તમારી પાસે એક જ એવો કોલ કે એક જ એવું પત્તું હોય છે જે તમે રમો છો. મેં તે સમયે મારા એ કાર્ડનો ઉપયોગ કર્યો હતો."



















