MUMBAI INDIANS: હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026 ની શરૂઆત જીત સાથે કરી હતી. ઘણા વર્ષો પછી એવું બન્યું હતું જ્યારે MI એ સીઝનની પ્રથમ મેચ જીતી હોય, પરંતુ ત્યારબાદ ટીમ જીત માટે તરસી ગઈ. વાનખેડે સ્ટેડિયમમાં સતત 4 હારની સાથે અન્ય ઘણા અનિચ્છનીય રેકોર્ડ્સ પણ બન્યા. રોહિત શર્મા ફિટનેસના કારણે તમામ મેચ રમી શક્યા નહીં, સૂર્યકુમાર યાદવનું ફોર્મ ગાયબ રહ્યું અને જસપ્રીત બુમરાહ માટે આ સીઝન સૌથી ખરાબ સીઝનમાંથી એક રહી. ટીમના નબળા પ્રદર્શન બાદ હવે મુંબઈ કેટલાક મોટા ફેરફારો કરી શકે છે, જેમાં કેપ્ટન બદલવો એ સૌથી મોટો ફેરફાર હોઈ શકે છે.

Continues below advertisement

 

Continues below advertisement

કોચિંગ સ્ટાફ અને સીનિયર ખેલાડીઓ વચ્ચે અણબનાવ?

'ઈન્ડિયન એક્સપ્રેસ' ના રિપોર્ટ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સે આગામી સીઝન પહેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન પદેથી હટાવવાનું મન બનાવી લીધું છે. રિપોર્ટ મુજબ, રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી લીગ મેચ બાદ મુંબઈના કોચિંગ સ્ટાફે તમામ ખેલાડીઓ સાથે એક બેઠક કરી હતી. જેમાં સીનિયર ખેલાડીઓના વર્તન સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો...GT vs RR: આજે ગુજરાત-રાજસ્થાનની મેચ વરસાદમાં ધોવાઇ જાય તો કોણ જશે IPLની ફાઇનલમાં ? જાણી લો સમીકરણ

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં 2 T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન (રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ) છે. જસપ્રીત બુમરાહ જેવા ખતરનાક બોલર છે અને હાર્દિક પંડ્યા પોતે મોટો ખેલાડી છે. જોકે આટલા દિગ્ગજો હોવા છતાં આ સીઝન તેમના માટે સારી રહી નથી, ટીમ જીતવી તો દૂર, લડતી પણ જોવા મળી નથી. રિપોર્ટ અનુસાર, IPL 2026 દરમિયાન કોચિંગ સ્ટાફે ડેટા બેઝ મુજબ ખેલાડીઓને કેટલીક સૂચનાઓ આપી હતી, પરંતુ મેચમાં તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. આનાથી કોચિંગ સ્ટાફ નારાજ છે અને તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં સીનિયર ખેલાડીઓએ પણ કોચની વાત માનવી પડશે.

શું હાર્દિક પંડ્યા MI છોડશે?

જો મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને કપ્તાની પરથી હટાવે છે, તો શક્ય છે કે તે આ ફ્રેન્ચાઈઝીમાં રહેવા ન માંગે. ઘણી ફ્રેન્ચાઈઝી એવી છે જે આવતા વર્ષે પોતાના કેપ્ટન બદલી શકે છે, જેમાં LSG, KKR અને DC સામેલ છે. હાર્દિક એવી કોઈ ટીમમાં જઈ શકે છે જે તેને કેપ્ટન બનાવવા માંગતી હોય.

ફ્લોપ રહ્યો હાર્દિક અને બુમરાહનો જાદુ

હાર્દિક પંડ્યાના વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, તેણે IPL 2026 માં 10 મેચોમાં માત્ર 206 રન બનાવ્યા છે અને તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આખી સીઝન દરમિયાન તેના બેટમાંથી માત્ર 2 છગ્ગા જોવા મળ્યા. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના આ વર્ષે ફ્લોપ રહેવાનું સૌથી મોટું કારણ તેના ફાસ્ટ બોલરોનું પ્રદર્શન ન હોવું પણ છે. જસપ્રીત બુમરાહ પણ 13 મેચોમાં માત્ર 4 જ વિકેટ લઈ શક્યો છે.