IND vs ENG: ઇંગ્લેન્ડ સામે કોહલીની જગ્યા લેશે આ ખતરનાક બેટ્સમેન, નંબર-4 પર કરશે બેટિંગ, ઋષભ પંતે કર્યો ખુલાસો
Rishabh Pant Press Conference: યશસ્વી જાયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરે તેવી પૂરી સંભાવના છે. સાઈ સુદર્શનને પ્રથમ ટેસ્ટમાં અભિમન્યુ ઈશ્વરનની જગ્યાએ રમાડવામાં આવી શકે છે

Rishabh Pant Press Conference: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શુક્રવાર, 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટીમ ઇન્ડિયા શુભમન ગીલની કેપ્ટનશીપ હેઠળ WTC (WTC 2025-27) ના આગામી ચક્રની શરૂઆત કરી રહી છે. આ પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં ઉપ-કેપ્ટન ઋષભ પંતે જણાવ્યું હતું કે વિરાટ કોહલીની જગ્યાએ ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે, તેણે જણાવ્યું હતું કે તેનો બેટિંગ ક્રમ શું હશે.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 210 ઇનિંગ્સ રમી હતી, જેમાંથી 160 ઇનિંગ્સમાં તેણે ચોથા નંબરે બેટિંગ કરી હતી. એક દાયકાથી વધુ સમય સુધી આ તેમનું સ્થાન રહ્યું હતું, પરંતુ નિવૃત્તિ પછી મોટો પ્રશ્ન એ હતો કે આ ક્રમમાં કોણ રમશે. ઋષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો.
શુભમન ગીલ વિરાટનું સ્થાન લેશે
પંતે જણાવ્યું હતું કે કેપ્ટન શુભમન ગીલ ચોથા નંબર પર બેટિંગ કરશે. તમને જણાવી દઈએ કે શુભમન ગીલે અત્યાર સુધીમાં કુલ 59 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે. તેણે 29 વખત ઓપનિંગ કરી છે અને 30 વખત ત્રીજા નંબર પર બેટિંગ કરી છે. ઓપનિંગ કરતી વખતે તેણે 874 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે. ત્રીજા નંબર પર રમતી વખતે તેણે 3 સદી અને એટલી જ અડધી સદીની મદદથી 1019 રન બનાવ્યા. હવે તે પહેલીવાર ચોથા નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છે.
On how is he looking at the #TeamIndia Test vice-captaincy role 🤔
— BCCI (@BCCI) June 18, 2025
Hear what Rishabh Pant had to say #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/59X01ARpxm
પાંચમા નંબર પર કોણ બેટિંગ કરશે
ઋષભ પંતે પોતાનો બેટિંગ ક્રમ જાહેર કર્યો અને કહ્યું કે તે પાંચમા નંબર પર રમશે. પંત વિશે વાત કરીએ તો, તે ટેસ્ટમાં 26 વખત પાંચમા નંબર પર રમ્યો છે, જેમાં તેણે 1301 રન બનાવ્યા છે. આ સ્થાન પર રમતી વખતે, તેણે 9 અડધી સદી અને 2 સદી ફટકારી છે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની સંભવિત પ્લેઇંગ-11
યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગીલ, ઋષભ પંત, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
યશસ્વી જાયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરે તેવી પૂરી સંભાવના છે. સાઈ સુદર્શનને પ્રથમ ટેસ્ટમાં અભિમન્યુ ઈશ્વરનની જગ્યાએ રમાડવામાં આવી શકે છે, જો તે રમે છે તો તે ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. કરુણ નાયર છઠ્ઠા નંબર પર આવી શકે છે. નીતીશ કુમાર રેડ્ડીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને રમાડવામાં આવી શકે છે.
IND vs ENG 1લી ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારત vs ઈંગ્લેન્ડ 1લી ટેસ્ટનું ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર થશે. 20 જૂનથી શરૂ થનારી પહેલી ટેસ્ટ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે થશે. મેચ દરરોજ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.



















