નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ આગામી 7મી જાન્યુઆરીએ રમાવવાની છે. બન્ને ટીમો સીરીઝમાં એક-એક ટેસ્ટ જીતીને એકબીજાની બરાબરી પર છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી સિડની ટેસ્ટ પર છે, આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમના ઉપ કેપ્ટન પેટ કમિન્સે ખાસ રણનીતિ અંગે માહિતી આપી છે, જે તેમને ભારત સામે બનાવી છે.


ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ માટે ખાસ રણનીતિ
ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આગામી મેચની રણનીતિ બનાવવામા લાગી ગઇ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા બૉલિંગમાં ફેરફાર કરવાનુ વિચારી રહી છે. ટીમના વાઇસ કેપ્ટન પેટ કમિન્સ અનુસાર એસસીજીની પીચ ઓસ્ટ્રેલિયાની બાકી પીચોની સરખામણીમાં સ્પીનની મદદગાર થાય છે, પરંતુ આમ છતાં આ વખતે ટીમ અલગ એક્સપેરિમેન્ટ કરશે.

કેવી હશે ઓસ્ટ્રેલિયાની બૉલિંગ
ઓસ્ટ્રેલિયન ટીમના માર્નસ લાબુશાને છે, જે લેગ સ્પિન કરે છે. આવામાં ઓસ્ટ્રેલિયા તે જ બૉલિંગ આક્રમણ સાથે ઉતરી શકે છે, જે તેને શરૂઆત બે ટેસ્ટ મેચોમાં ઉતારી હતી. કમિન્સે કહ્યું કે તે ટીમના બૉલિંગ આક્રમણથી ખુબ પ્રભાવિત છે. આનાથી સંકેત મળે છે કે ટીમ કદાચ બૉલિંગ આક્રમણમાં ફેરફાર ના કરે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ એસસજી મેદાન પર 7 જાન્યુઆરીએ શરૂ થશે.