શોધખોળ કરો

IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ

IND vs SA 1st Test Score: કોલકાતા ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી.

IND vs SA 1st Test Score: કોલકાતા ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી. આ દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ દાવનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ, ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવનો સૌથી ઓછો સ્કોર 222 હતો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.

 

એડન માર્કરમ અને રાયન રિકેલ્ટને 57 રનની ઓપનિંગ ભાગીદારી સાથે દક્ષિણ આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ વિકેટો પડવાની શરૂઆત થઈ. માર્કરમ 31 અને રિકેલટન 23 રન બનાવીને આઉટ થયા. કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર 3 રન બનાવીને આઉટ થયો. ટોની ડી જોર્ઝીએ પણ સારી શરૂઆત કરી, પરંતુ તેમનો દાવ 55 બોલમાં 24 રન પર સમાપ્ત થયો.

ઈડન ગાર્ડન્સ ખાતે સૌથી ઓછો સ્કોર
ઈડન ગાર્ડન્સ ખાતે કોઈ વિદેશી ટીમ દ્વારા પ્રથમ ઇનિંગનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અહીં કોઈ વિદેશી ટીમ દ્વારા પ્રથમ ઇનિંગનો સૌથી ઓછો સ્કોર બાંગ્લાદેશ પાસે છે, જે 2019માં ફક્ત 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજો સૌથી ઓછો સ્કોર વેસ્ટ ઈન્ડિઝના નામે છે, જે 2011માં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે, 159 રનના સ્કોર સાથે, દક્ષિણ આફ્રિકા આ ​​યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

જસપ્રીત બુમરાહનો પંજો
જસપ્રીત બુમરાહએ આ ઇનિંગમાં 14 ઓવર ફેંકી હતી, જેમાં માત્ર 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 5 મેડન ઓવર પણ ફેંકી હતી. બુમરાહએ તેમની કારકિર્દીમાં 16મી વખત 5 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. જસપ્રીત બુમરાહ ઇશાંત શર્મા પછી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. ઇશાંતે 2019માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલે પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget