IND vs PAK: કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેદાન પર કુલદીપ પર કેમ થયો ગુસ્સે? વાયરલ થઈ રહ્યો છે વીડિયો
IND vs PAK: મેચ પછી હાથ મિલાવતા સમયે સૂર્યકુમાર યાદવ કુલદીપ પર ભડક્યો હતો. આનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

IND vs PAK: ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાનને 61 રનથી કારમી હાર આપી. ટીમ ઈન્ડિયાએ બેટ અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કરીને સુપર 8માં સ્થાન મેળવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતથી બધા ખુશ હતા, પરંતુ જીત બાદ સૂર્યકુમાર યાદવ કુલદીપ યાદવ પર નારાજ જોવા મળ્યો હતો. કુલદીપ યાદવે એક કેચ છોડ્યો, જેનાથી હાર્દિક પંડ્યા ગુસ્સે થયો. મેચ પછી હાથ મિલાવતા સમયે સૂર્યકુમાર યાદવ કુલદીપ પર ભડક્યો હતો. આનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Now, What has Kuldeep yadav Done.
— Shah (@Shahhoon1) February 15, 2026
pic.twitter.com/lVT37l9c33
કુલદીપ યાદવ કેચ છોડ્યો
આખો વિવાદ પાકિસ્તાનની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન શરૂ થયો. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો અને શાહીન આફ્રિદી સામે હતો. ઓવરના બીજા બોલ પર હાર્દિકે શોર્ટ-પિચ બોલ ફેંક્યો, જેને શાહીન આફ્રિદીએ ફટકાર્યો હતો. બોલ બાઉન્ડ્રી લાઇનની નજીક ગયો જ્યાં કુલદીપ યાદવે એક સરળ કેચ છોડી દીધો. હાર્દિક પંડ્યા ગુસ્સે થયો હતો. જોકે તેણે તાત્કાલિક પ્રતિક્રિયા આપી ન હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ નાખુશ હતો. તે બંનેએ સંભવતઃ કુલદીપ સાથે વાત કરી હતી, જેનાથી તે ગુસ્સે થયો હતો.
મેચ પછી સૂર્યા કુલદીપ યાદવ પર ભડક્યો
61 રનની મોટી જીત પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે સૂર્યકુમાર યાદવ કુલદીપ યાદવને ભેટ્યો હતો પરંતુ તે દરમિયાન તેણે ગુસ્સામાં કાંઈક વાત કરી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઈશાન કિશન જીતનો હીરો રહ્યો
કોલંબોની પીચ પર બેટિંગ કરવી સરળ નથી. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી અને અભિષેક શર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી. આ પછી ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગ કરી. તેણે એક છેડેથી મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું. ઈશાને 40 બોલનો સામનો કર્યો અને 77 રન બનાવ્યા. તેણે ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. આ વિસ્ફોટક પ્રદર્શનથી તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.




















