T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup Semi Final:
T20 World Cup Semi Final Rain Rules: 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ચાર ટીમો જાહેર કરવામાં આવી છે. ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ એ ચાર ટીમો છે જે સેમિફાઇનલમાં રમશે. પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે કોલકાતામાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. દરત પર કોઈનો કાબૂ નથી. તો જો સેમિફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે અથવા કોઈ અન્ય કારણોસર મેચ રદ થાય, તો ફાઇનલિસ્ટ કેવી રીતે નક્કી થશે? વરસાદ અંગે ICC ના નિયમો અહીં જાણો.
જો સેમિફાઇનલ દરમિયાન વરસાદ પડે તો કયા નિયમો છે?
ધારો કે 5 માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ થાય છે. આવા કિસ્સામાં રિઝર્વ ડેનો નિયમ લાગુ થશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે જો ભારત-ઈંગ્લેન્ડ મેચ 5 માર્ચે રમાઈ ન શકે તો તે 6 માર્ચે રમાશે.
જો રિઝર્વ ડે પણ વરસાદથી ધોવાઈ જાય તો વિજેતા ટીમનો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે? જો રિઝર્વ ડે પર મેચ રમાય નહીં તો સુપર 8 માં સૌથી વધુ રેન્કિંગ ધરાવતી ટીમ ફાઇનલમાં આગળ વધશે. આનો અર્થ એ થયો કે જો રિઝર્વ ડે પર બંને સેમિફાઇનલ મેચ નહીં રમાય તો દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં આગળ વધશે.
સેમિફાઇનલ શેડ્યૂલ?
2026 T20 વર્લ્ડ કપમાં ભારતની સેમિફાઇનલ મેચ 5 માર્ચે યોજાશે, જ્યાં તેઓ ઇંગ્લેન્ડનો સામનો કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.
તે પહેલા પ્રથમ સેમિફાઇનલ મેચ 4 માર્ચે યોજાશે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ એકબીજાનો સામનો કરશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં?
ટી20 વિશ્વ કપના અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો આ બંને દિગ્ગજ ટીમો કુલ 5 વખત આમને સામને આવી છે. આ 5 રોમાંચક મુકાબલાઓમાંથી ભારતીય ટીમે 3 વખત મેદાન માર્યું છે, જ્યારે ઇંગ્લેન્ડને 2 વખત સફળતા મળી શકી છે. સૌથી વિશેષ વાત એ છે કે આ બંને ટીમો વિશ્વ કપની સેમિફાઇનલમાં પણ અગાઉ બે વાર ટકરાઈ ચૂકી છે. વર્ષ 2022 માં રમાયેલી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી કારમી હાર આપી હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ હિંમત ન હારતા વર્ષ 2024 ની સેમિફાઇનલમાં 68 રનથી શાનદાર વિજય મેળવીને તે હારનો સણસણતો બદલો લીધો હતો.




















