નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સીરીઝના જીતનો જશ્ન મનાવી રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પરંતુ આની માઠી અસર ઇંગ્લેન્ડની સાથે સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પર પણ પડી છે. ખરેખરમાં ભારતની સીરીઝમાં 3-1ની જીતથી ઇંગ્લેન્ડની સાથે સાથે ઓસ્ટ્રેલિયા ટીમ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીનયશીપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં બહાર થઇ ગયુ છે.


ટીમ ઇન્ડિયા 3-1થી સીરીઝ જીતી ચૂકી છે. હવે આગામી જૂન મહિનામાં ઇંગ્લેન્ડના લૉર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં ટકરાશે. ન્યૂઝીલેન્ડ પહેલાથી જ વર્લ્ડ ટેસ્ચ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યુ હતુ, પરંતુ બીજા સ્થાન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ રેસમાં હતા.

ભારતે આ સીરીઝ જીતીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બન્નેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલની રેસમાંથી બહાર કરી દીધા છે. ખરેખરમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ રમવા માટે આ સીરીઝમાં કમસે કમ 2-1થી જીતવુ જરૂરી હતી.

આ સીરીઝ ત્રણેય ટીમો માટે મહત્વની હતી, જો ભારત આ સીરીઝ ઇંગ્લેન્ડ સામે હારી જાય તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ઓટોમેટિક પહોંચી જતી હતી, જો ઇંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચવુ હોય તો તેને ભારતને 2-1, કે 3-1થી કે 4-0થી હરાવવુ જરૂરી હતુ. પરંતુ આ સમીકરણોને ભારતીય ટીમે 3-1થી જીતીને ધ્વસ્ત કરી દીધા, આમ બન્ને ટીમો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલની રેસમાં બહાર ફેંકાઇ ગયા.