નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, અને વનડે, ટી20 અને ટેસ્ટી સીરીઝ રમી રહી છે, જોકે હજુ પ્રવાસ પુરો થાય તે પહેલા જ ભારતીય ટીમ પર એક પછી એક સંકટ આવી રહ્યું છે. આ પ્રવાસમાં ઇશાન્ત શર્મા અને રોહિત શર્માથી શરૂ થયેલી ઇજાનો સિલસિલો હજુ પણ અટકવાનો નામ નથી લઇ રહ્યો, ત્યારે આ મુદ્દે પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ એક મજાક કરતુ ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.


સહેવાગે મજાક કરતા કહ્યું કે જો ટીમ પુરી ના થતી હોય તો હું ઓસ્ટ્રેલિયામાં રમવા જવા તૈયાર છુ. સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું- આટલા બધા પ્લેયરો ઇન્જર્ડ છે, 11 પુરા ના થતા હોય તો હું ઓસ્ટ્રેલિયા જવા તૈયાર છુ, ક્વૉરન્ટાઇન જોઇ લેશુ @BCCI. સહેવાગનુ આ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.



9 ખેલાડીઓ થયા ઇજાગ્રસ્ત
મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન સહિતના સ્ટાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ સીરીઝ પહેલા જે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમાં ઇશાન્ત શર્મા, ભુવનેશ્વર કુમાર અને રોહિત શર્માનુ પણ નામ સામેલ હતુ.

ઇજાગ્રસ્ત ખેલાડીઓનુ આટલુ લાંબુ લિસ્ટ જોયા બાદ કયા કયા ખેલાડીઓને બ્રિસ્બેનની ચોથી ટેસ્ટમા સામેલ કરવામાં આવશે તે મોટો સવાલ છે.

ચાર ટેસ્ટ મેચોની સીરીઝ હાલ ચાલી રહી છે, જેમાં પ્રથમ ઓસ્ટ્રેલિયી જીત્યુ બીજી ભારત જીત્યુ અને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રૉ થઇ છે, હવે બન્ને ટીમોની નજર ચોથી બ્રિસ્બેન ટેસ્ટ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો જમાવવા પર રહેશે.