India Playing 11 Prediction: ભારતીય ટીમ આજે પ્રથમ વનડે મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મુકાબલો ધર્મશાલામાં રમાશે, જે ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે. આ મેચમાં બધાની નજર રોહિત શર્મા પર ટકેલી હશે, પરંતુ ફેન્સ દૂર-દૂર સુધી વિરાટ કોહલીના દર્શન કરી શકશે નહીં. કારણ કે વિરાટ હેમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે.
વિરાટ નંબર-3 પર બેટિંગ કરે છે અને પાછલા 7 મુકાબલામાં તેમણે 123.2 ની શાનદાર એવરેજથી રન બનાવ્યા છે. વનડે સિરીઝમાં તેમની જગ્યાએ યશસ્વી જયસ્વાલને વનડે સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ શું જયસ્વાલને ત્રીજા ક્રમે બેટિંગ કરવાની તક મળશે? અહીં જાણી લો કે ટીમ ઇન્ડિયા આજે કઈ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે અને વિરાટની જગ્યાએ કોણ રમી શકે છે.
Kane Williamson Retirement: ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક યુગનો અંત, કેન વિલિયમ્સને લીધી નિવૃતિ
કોણ લેશે વિરાટ કોહલીની જગ્યા?
રોહિત શર્મા અને શુભમન ગિલનું ઓપનિંગ સ્પોટ નક્કી છે. કેએલ રાહુલ પહેલા પણ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી ચૂક્યો છે, પરંતુ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને મિડલ ઓર્ડરમાં એક અનુભવી બેટ્સમેનની જરૂર પડશે, તેથી રાહુલ નંબર-5 પર બેટિંગ ચાલુ રાખી શકે છે. વળી, શ્રેયસ અય્યર ચોથા ક્રમે બેટિંગ કરતો આવ્યો છે. પ્રથમ વનડે મેચ પહેલા ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલનું કહેવું હતું કે ઇશાન કિશન, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ વચ્ચે નંબર-3 ની રેસ છે.
આવા સમયે વિરાટ કોહલીની જગ્યા લેવા માટે સ્ક્વોડમાં ઇશાન કિશન અને યશસ્વી જયસ્વાલ જ બચે છે, જેઓ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. આજની મેચમાં જયસ્વાલના બદલે ઇશાન કિશનને નંબર-3 પર મોકો મળી શકે છે. કારણ કે જયસ્વાલ મોટાભાગે ઓપનિંગ કરે છે, જ્યારે કિશન T20 ટીમમાં નંબર-3 ની જવાબદારી સંભાળી ચૂક્યો છે. તેથી સંભવ છે કે કિશનને કોહલીની જગ્યાએ ત્રીજા ક્રમે બેટિંગ કરવાની તક મળી શકે છે.
પ્રથમ વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઇશાન કિશન, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા
