ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતમાં ટીમ ઈન્ડિયાની આ 21ની ટેસ્ટ જીત હતી. આ જીત સાથે જ વિરાટ કોહલીએ ધોનીની બરાબરી કરી લીધી છે. જો ટીમ ઈન્ડિયા ડે નાઈટ ટેસ્ટ જીતવામાં સફળ રહેશે તો આ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતમાં 22મી ટેસ્ટ જીત હશે અને તે સૌથી સફળ કેપ્ટન બની જશે.
ધોનીના રેકોર્ડ તોડવાના સવાલ પર કોહલીએ કહ્યું કે, મારા માટે આ રેકોર્ડ મહત્વનો નથી. આ શું કોઈ પણ રેકોર્ડ મારા માટે મહત્વ નથી રાખતો, મારા માટે માત્ર એક જ વસ્તુ મહત્વની છે અને તે ટીમ ઈન્ડિયાની જીત.