T20 World Cup 2021: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રોહિત શર્મા અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, અને તેમના ઉપર વિચિત્ર વિચિત્ર મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. જુઓ મીમ્સ.....


ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો.


બેટિંગ અને આ નિર્ણયોથી કેપ્ટન કોહલીએ કર્યા નિરાશ 
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup) ના સુપર-12 તબક્કામાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે તેને 8 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 110 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે 111 રનનો ટાર્ગેટ 14.3 ઓવરમાં બે વિકેટના નુકસાને મેળવી લીધો હતો.