PBKS vs MI Weather Report: 'અમે લડાઇ હારી ગયા છીએ, યુદ્ધ નહીં'... પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ના પહેલા ક્વૉલિફાયર હાર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. અને હવે જો પંજાબે લડાઇમાં ટકી રહેવું છે, તો તેમણે આજે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું પડશે. પંજાબ કિંગ્સ IPL 2025 ના લીગ તબક્કામાં ટોચ પર હતું. પરંતુ બેંગલુરુએ તેમને પ્રથમ ક્વૉલિફાયરમાં 8 વિકેટથી હરાવ્યું.

Continues below advertisement

આ હારથી પંજાબના કેપ્ટન અને ટીમના મનોબળ અને આયોજન પર ખરાબ અસર પડી છે. પરંતુ જેમ IPLમાં થાય છે તેમ, પ્રથમ બે સ્થાન મેળવનારી ટીમોને વધારાની તક મળે છે. અને પંજાબને પણ આ તક મળી. પંજાબ કિંગ્સ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ તકનો લાભ લેવા માંગશે. જ્યાં તેમના માટે પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવવાનું સરળ રહેશે નહીં.

મુંબઈ ઈન્ડિયન્સની સિઝનની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પહેલા પાંચમાંથી ફક્ત એક જ મેચ જીતી હતી. પરંતુ પંજાબ કિંગ્સ સાથે આવું ઘણીવાર થાય છે. તેમણે વિજયી લય મેળવ્યો અને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું. મુંબઈની ટીમે એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. ગુજરાતની ટીમે તેમને પડકાર ફેંક્યો પણ અંતે, મુંબઈનો મોટી મેચ રમવાનો અનુભવ કામમાં આવ્યો. અને તેઓ બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું.

Continues below advertisement

રવિવારે રમાનારી આ મેચ લાલ માટીની પીચ પર રમાય તેવી શક્યતા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ આ પીચ પર રમાઈ હતી. અમદાવાદના આ મેદાન પર કુલ 42 IPL મેચ રમાઈ છે. આમાં પહેલા બેટિંગ કરનારી અને બાદમાં બેટિંગ કરનારી ટીમોએ 21-21 મેચ જીતી છે. આ મેદાન પર રમાયેલી સાત મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમે છ મેચ જીતી છે. એટલે કે, આ સિઝનમાં આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવો સરળ રહ્યો નથી. આ સંદર્ભમાં, ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ કરવાનું આયોજન કરી શકે છે.

હેડ-ટૂ-હેડની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે. અને તેમાંથી મુંબઈએ 17 અને પંજાબે 16 મેચ જીતી છે. બીજા ક્વૉલિફાયર પહેલા, પંજાબ કિંગ્સ ટીમના પ્રેક્ટિસ સત્ર દરમિયાન હળવો વરસાદ પડ્યો હતો. જોકે, આજે વરસાદની શક્યતા ઓછી છે.