શું ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે વિરાટ કોહલી ? IPL ટ્રૉફી જીત્યા બાદ મેથ્યૂ હેડન સાથે કરી દિલની વાત
IPL 2025 : RCB ચેમ્પિયન બન્યા પછી કોહલીએ મેથ્યુ હેડન સાથેની વાતચીતમાં કહ્યું, "આ મારા કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. પરંતુ તેમ છતાં તે ટેસ્ટ ક્રિકેટથી પાંચ સ્થાન નીચે છે

After IPL 2025 Champion Virat Kohli Statement on Test Cricket: મંગળવારે IPL 2025 ની ફાઇનલ રમાઈ હતી. ટાઇટલ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું (RCB) એ પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. 17 વર્ષ પછી વિરાટની RCB એ IPL ટ્રોફી જીતી હતી. ચેમ્પિયન બન્યા પછી, કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ પર એક મોટું નિવેદન આપ્યું.
પહેલું IPL ટાઇટલ જીત્યા પછી વિરાટ કોહલી ખૂબ જ ભાવુક થઈ ગયો. તે મેદાન પર જ રડવા લાગ્યો. કોહલી પોતાના આંસુઓ કાબૂમાં રાખી શક્યો નહીં, પરંતુ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે હજુ પણ ટેસ્ટ ક્રિકેટને T20 કરતા પાંચ સ્થાન ઉપર રાખે છે.
RCB ચેમ્પિયન બન્યા પછી કોહલીએ મેથ્યુ હેડન સાથેની વાતચીતમાં કહ્યું, "આ મારા કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. પરંતુ તેમ છતાં તે ટેસ્ટ ક્રિકેટથી પાંચ સ્થાન નીચે છે. મને ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ જ આદર છે. હું યુવાનોને ફક્ત ટેસ્ટ ક્રિકેટનો આદર કરવા વિનંતી કરીશ. જો તમે ટેસ્ટ ક્રિકેટમાં સારું રમશો, તો તમે વિશ્વમાં જ્યાં પણ જશો, લોકો તમારો આદર કરશે. જો તમે વિશ્વમાં ક્રિકેટમાં આદર મેળવવા માંગતા હો, તો ટેસ્ટ ક્રિકેટ રમો અને તમારું સર્વસ્વ આપો."
વિરાટ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચશે નહીં
સોશિયલ મીડિયા પર ચાહકો એવી વાતો કરી રહ્યા છે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લેશે, પરંતુ આ વાતો અને દાવાઓમાં કોઈ સત્ય નથી. IPL ટાઇટલ જીત્યા પછી, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાની વાત કરી નથી. તેણે ફક્ત ટેસ્ટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઉપરાંત, તેણે યુવાનોને ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. વિરાટ કહે છે કે જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશો ત્યારે જ તમને ક્રિકેટમાં દુનિયામાં સન્માન મળશે.




















