ક્રિકેટને અપનાવ્યા પહેલાં ચહલ હતો ચેસ ચેમ્પિયન, કેમ છોડ્યું ચેસ, કારણ જાણીને લાગશે આઘાત
ક્રિકેટમાં ચહલે લોકોનું ધ્યાન પોતાના તરફ ચેમ્પિયન્સ લીગ ટી-20ની એક ફાઇનલથી ખેંચ્યું હતું. તેમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 2 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેની આ બોલિંગના કારણે મુંબઈને 2013નું ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ તેનો RCB સાથે કોન્ટ્રાક્ટ થયો હતો.
ચહલના એડવોકેટ પિતા કે.કે. ચહલે જણાવ્યું કે, ચેસમાં તેને દર વર્ષે 50 લાખ રૂપિયાની જરૂર પડતી અને અમને તેના માટે કોઈ સ્પોન્સર ન મળ્યો. આ કારણે તેને ચેસ છોડવું પડ્યું. જોકે તે આજે પણ આ રતમને ભૂલ્યો નથી અને તક મળે ત્યારે રમી લે છે.
ચેસ ટ્રેનિંગથી મને તેમાં મદ મળે છે. યુજવેન્દર ચહલને સાત વર્ષથી ચેસ અને ક્રિકેટ બન્ને રમતમાં રસ હતો. તે અંડર-12 નેશનલ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે, પરંતુ બાદમાં સ્પોન્સર ન મળવાને કારણે તે ચેસમાં આગળ કારકિર્દી ન વધારી શક્યા.
એક અંગ્રેજી સમાચારપત્રને આપેલ ઇન્ટરવ્યૂમાં ચહલે જણાવ્યું હતું કે, ચેસથી મને સામેની ટીમના ખેલાડીને આઉટ કરવા માટે યોજના બનાવવામાં મદદ મળે છે. હું બેટ્સમેન કરતાં એક ડગલું આગળ રહેવાનો પ્રયત્ન કરું છું. જ્યારે બેટ્સમેન આક્રમક હોય છે તો હું શાંત રહેવાનો પ્રયત્ન કરું છું.
જોકે ચેસ માટે દર વર્ષે 50 લાખ રૂપિયાની આસપાસ ખર્ચ કરવો પડે. ચહલનાં માતા-પિતા આટલો ખર્ચ કરી શકે તેમ નહોતાં તેથી ચહલે ચેસ છોડી દીધું અને ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચેસ રમવાને કારણે ચહલ માનસિક રીતે ખૂબ જ મજબૂત ખેલાડી છે. તે ચેમાં એશિયન અને વર્લ્ડ યૂથ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમનું નામ ફિડે (FIDE)ની સત્તાવાર સાઈટ પર પણ છે અને તેને 1946 રેટિંગ મળ્યું હતું.
એક સમયે ઇંગ્લેન્ડ જોરદાર ટક્કર આપી રહ્યું હતું જો કે યજવેન્દ્ર ચહલની એક ઓવરે મેચનું પાસુ પલટી નાખ્યુ હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટીમ ઇન્ડિયામાં સામેલ થતા પહેલા ચહલે પોતાની કરિયર ચેસ બોર્ડથી શરૂ કરી હતી.
સુરેશ રૈનાના 63 રન તેમજ ધોનીના 56 રન પછી યજવેન્દ્ર ચહલે (6 વિકેટ) તરખાટ મચાવતા ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 16.3 ઓવરમાં 127 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારત 2-1થી સિરીઝ જીતી ગયુ હતું.