✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નીતા અંબાણીને ક્યા ક્રિકેટરને મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરીદી નહીં શકવાનો અફસોસ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2018 12:28 PM (IST)
1

બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે હરભજનનો આભાર માનતું ટ્વીટ કર્યું છે અને દસ વર્ષમાં પાંચ ટ્રોફી મળી અને અગણીત યાદગાર સમય સાથે પસાર કર્યો હોવાનું જણાવ્યું છે.

2

મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાને રિટેન કર્યા હતા પરંતુ ઓક્શનમાં હરભજનસિંહને ખરીદ્યો નહોતો. ઓક્શનના પ્રથમ દિવસે હરભજનસિંહને ચેન્નઈ સુપર કિંગ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જે હરભજનની બેઝ પ્રાઇઝ હતી.

3

નીતા અંબાણીએ કહ્યું કે, ઓક્શન બાદ ઘણી ખુશ છે પરંતુ આ પ્રક્રિયા ઘણી થકાવટ વાળી હતી. હું એમ ન કહી શકું કે, અમે કોઈ ખેલાડીને ખરીદી ન શકતાં નિરાશ છીએ પરંતુ મને માત્ર એક વાતનો અફસોસ રહેશે કે, અમે હરભજનસિંહને અમારી ટીમમાં સામેલ કરી શક્યા નહોતા.

4

હરભજનસિંહે પણ ટ્વીટ કરીને આભાર માન્યો છે અને દસ વર્ષ ખૂબ વંડરફૂલ અને યાદગાર રહ્યા તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં આગામી આઇપીએલ માટે પણ બધાને શુભકામના પાઠવી હતી.

5

નવી દિલ્લીઃ IPL-11 માટે ગત શનિવાર અને રવિવારે ખેલાડીઓનું ઓક્શન થયું હતું. આ લીલામીમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓને સામેલ કરવા માટે બોલી લગાવી હતી. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે પણ પોતાની ટીમમાં સારા ખેલાડીઓને સામેલ કર્યા છે. જોકે, તેમણે હરભજનસિંહને ખરીદ્યો નથી આ અંગે ફ્રેન્ચાઇઝીની માલિક નીતા અંબાણીએ હરભજનસિંહને ન ખરીદવાનો અફસોસ વ્યક્ત કર્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • નીતા અંબાણીને ક્યા ક્રિકેટરને મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરીદી નહીં શકવાનો અફસોસ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.