ટીમ ઇન્ડિયાના આ ફાસ્ટ બૉલરને મળી મોટી જવાબદારી, હવે IPLમાં આ ટીમનું કરશે કૉચિંગ
નેહરાએ કહ્યું કે, મને ગઇ સિઝનમાં મને આરસીબી કૉચિંગ ટીમ સાથે જોડાવવાનું સૌભાગ્ય મળ્યુ. હું ટીમ મેનેજમેન્ટનો આભાર માનુ છું કે, તેમને મને કૉચિંગ નેતૃત્વ પદ માટે મારા નામ પર વિચાર કર્યો. હું તેમની સાથે સક્સેસ સિઝનની રાહ જોઇ રહ્યો છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને કહ્યું કે, અમે આશિષ નેહરાના આરસીબી કૉચિંગ નેતૃત્વ ટીમનો ભાગ બનવાથી ખુબ ખુશ છીએ. નેહરા અને કર્સ્ટન કોહલીની સાથે મળીને ટીમના બેસ્ટ પર્ફોર્મન્સ કરવામાં મદદ કરશે.
આરસીબીના ચેરમેન સંજીવ ચુડીવાલાએ કહ્યું કે, નેહરા અને કર્સ્ટન કેપ્ટન વિરાટ કોહલીની સાથે મળીને ટીમને બેસ્ટ પ્રદર્શન કરવામાં મદદ કરશે.
39 વર્ષના નેહરાએ ક્રિકેટના બધા ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં ભારતીય ટીમે બે ક્રિકેટ વિશ્વકપ, બે એશિયા કપ અને ત્રણ આઇસીસી ચેમ્પિયન ટ્રૉફીમાં સારુ પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્હીઃ આઇપીએપલમા કેટલાય ખેલાડીઓ એવા છે આઇપીએલ રમી ચૂક્યા છે અને બાદમાં આઇપીએલની ટીમોનું કૉચિંગ પણ કરી રહ્યાં છે. રૉયલ ચેલન્જર બેગ્લુંરુ (આરસીબી)ના હાલના બૉલિંગ કૉચ આશિષ નેહરાને ફરીથી કૉચ બનાવવામાં આવ્યો છે. તે ગેરી કર્સ્ટનની સાથે કૉચિંગ નેતૃત્વ ટીમનો ભાગ બનશે. નેહરા ગઇ સિઝનમાં આરસીબી સાથે જોડાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -