યુવરાજ-હરભજન કર્ણાટક પર પડ્યા ભારે, સુપર ઓવરમાં પંજાબનો 4 રને વિજય

જે બાદ મુકાબલો સુપર ઓવર થઈ ગયો. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં મંદીપ સિંહના 10 અને યુવરાજના 5 રનની મદદથી 15 રન બનાવ્યા. જવાબમાં કર્ણાટકની ટીમ માત્ર 11 રન જ બનાવી શકી હતી.
નવી દિલ્હીઃ સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં પંજાબ અને કર્ણાટક વચ્ચે રમાયેલી રોમાચંક ક્વાર્ટર ફાઇનલમાં ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પંજાબની ટીમે 4 રને જીત મેળવી હતી. 27-28 જાન્યુઆરીએ યોજાનારી આઈપીએલ-ઓકશન પહેલા ઘરેલુ T20 ટુર્નામેન્ટમાં હરભજન-યુવરાજના પ્રદર્શનથી પંજાબની ટીમને ફાયદો થઈ રહ્યો છે.
ટાર્ગેટને ચેસ કરવા મેદાન પર ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત પણ નબળી રહી. કેપ્ટન હરભજને મનન વોહરા સાથે મળી ટીમને મજબૂતી આપી. હરભજને 19 બોલમાં 33 અને યુવરાજે 25 બોલમાં 29 રન બનાવ્યા હતા. 20મી ઓવરના છેલ્લા બોલે મેચ ટાઇમાં પરિણમી.
પંજાબના કેપ્ટન હરભજન સિંહે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કર્ણાટકની ટીમે 158 રન બનાવ્યા.