નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પાકિસ્તાનની ટીમને ઓસ્ટ્રેલિયાની ટીમ શાનદાર ટક્કર આપીને માત આપી હતી, ટૂર્નામેન્ટમાં સતત સારુ પ્રદર્શન કરનારી પાકિસ્તાનની ટીમને હાર મળતાંની સાથે જ ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યુ હતુ, જોકે, હાર બાદ પાકિસ્તાનની ટીમ (Pakistan Cricket Team) દુબઈથી સીધી બાંગ્લાદેશ પહોંચી હતી. ટી20નો સફર પુરો થતાંની સાથે જ બાબરે ટીમના સભ્યો સાથે બિસ્તરા લપેટીને બાંગ્લાદેશની ફ્લાઈટ પકડી હતી.


ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપ રમવા આવેલી દરેક ક્રિકેટ ટીમો દુબઇથી પોતાના ઘરે જતી હતી, ત્યારે પાકિસ્તાનની ટીમ ફ્લાઈટ દ્વારા તે પોતાના ઘરે એટલે કે કરાચી, ઈસ્લામાબાદ કે લાહોર પહોંચવાને બદલે ઢાકા (Dhaka) પહોંચી હતી. આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર લોકો બખાડો ઉભો કરી રહ્યાં છે, પરંતુ વાત એમ છે કે, સેમિ ફાઇનલમાં હાર થતાં ટીમને ગાળો મળી રહી છે, અને દેશમાં કોઇ હંગામો ના થાય તે માટે ટીમ પાકિસ્તાન નથી ગઇ એવુ નથી. બાબર આઝમ (Babar Azam) એન્ડ કંપની શ્રેણી રમવાના ઈરાદા સાથે બાંગ્લાદેશ પહોંચી છે. PCB એ તેના ટ્વિટર હેન્ડલ પરથી પાકિસ્તાનની ટીમના બાંગ્લાદેશ જવાની માહિતી આપી હતી.




બાંગ્લાદેશનો પાકિસ્તાન પ્રવાસ (Pakistan Tour of Bangladesh) 19 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ પસંદ કરી છે, જેમાં 17 એ જ છે, જેઓ T20 વર્લ્ડ કપ 2021માં ટીમનો ભાગ હતા. ટીમમાં અલગ ઈફ્તિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


બાંગ્લાદેશ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમે 3 T20 અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. પ્રથમ 2 T20 મેચ 19 નવેમ્બર અને 20 નવેમ્બરના રોજ ઢાકામાં બેક ટુ બેક રમાશે. આ પછી, ત્રીજી T20 પણ ઢાકામાં રમાશે, પરંતુ તે 22 નવેમ્બરે રમાશે. ટી20 સીરીઝ બાદ ટેસ્ટ સીરીઝ 26 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 26 થી 30 નવેમ્બર દરમિયાન ચટગાંવમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન ઢાકામાં રમાશે.