ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

ટી20 સીરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, આશીષ નેહરા, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.
જ્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે ટીમમાં સામેલ કેદાર જાધવને ટી20માં સ્થાન નથી મળ્યું.
જ્યારે 2 યુવા ચેહરાને ટી20 ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યરનું નામ છે.
રોટેશન નીતિને ધ્યાનમાં રાખતા ટી20 ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આશીષ નેહરા દિલ્હીમાં એક નવેમ્બર પહેલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચ બાદ નિવૃત્તી લઈ લશે. તેની જગ્યા પર બીજા બે મેચ માટે જયદેવ ઉનડકટ અથવા બાસિલ થમ્પીને ટીમમાં સ્થાન મળશે.
વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સાથેની સીરીઝ બાદ શ્રીલંકાની સાથે ટેસ્ટ સીરીઝ રમવાની છે અને બાદમાં દક્ષિણ આફ્રીકના પ્રવાસે જશે. જ્યાં વિરાટ કોહલીની જરૂરત વધારે છે.
એ માનતા કે કોહલી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણેય વનડે મેચ રમશે અને ત્યાં સુધી ભારતીય કેપ્ટનના નામે જૂન 2017થી ત્રણ ટેસ્ટ, 23 વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ નોંધાઈ જશે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ સતત ક્રિકેટ રમી રહી છે અને ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓને થાકમાંથી બચાવવા માટે રોટેશન નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ કોહલી સતત તમામ ફોર્મેટમાં રમી રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ નવી દિલ્હી, રાજકોટ, અને તિરૂવનન્તપુરમમાં રમાશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે વનડે સીરીઝની વચ્ચે જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 મેચની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સતત ક્રિકેટ રમનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સીરીઝમાંથી આરામ આપવામાં નથી આવ્યો.