નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 14ની બાકી બચેલી મેચો હવે યુએઇમાં રમાશે, સિઝનની 31 મેચો બાકી બચી છે અને આનુ આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં થવા જઇ રહ્યું છે. યુએઇને વેન્યૂ તરીકે સિલેક્ટ કરવા છતાં બીસીસીઆઇની મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી. રિપોર્ટ્સ છે કે સિઝનની બાકી બચેલી મેચોમાં દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે. 


રિપોર્ટ્સ અનુસાર, કેન વિલિયમસન, રાશિદ ખાન, ટ્રેન્ટ બૉલ્ટ, કાઇલી જેમીસન, લૂકી ફર્ગ્યૂસ આઇપીએલની 14 સિઝન શરૂ થશે ત્યારે તે પોતાન નેશનલ ટીમમાં જોડાઇ જશે. આફઘાનિસ્તાનને સપ્ટેમ્બરમાં પાકિસ્તાન વિરુદ્ધ સીરીઝ રમવાની છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝમાં વ્યસ્ત રહેશે. 


આ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધુ છે કે આઇપીએલના બાકી બચેલી મેચો માટે પોતાના ખેલાડીઓને રિલીઝ નહીં કરે. ઇંગ્લેન્ડના 12 ખેલાડી અલગ અલગ આઇપીએલ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે. 


ટીમો પર પડી શકે છે ખરાબ અસર.....
એટલુ જ નહીં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની પણ આઇપીએલમાં ભાગ લેવાની સંભાવના ખુબ ઓછી દેખાઇ રહી છે. સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાને બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ ટી20 મેચોની સીરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાના 18 ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યાં છે. હવે એ સ્પષ્ટ નથી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેટલા ખેલાડીઓને આઇપીએલમાં રમવાની પરમીશન આપશે.  


મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓને આઇપીએલથી બહાર રહેવાના કારણે માત્ર ટીમોના બેલેન્સ પર જ અસર નહીં થાય પરંતુ સાથે સાથે ટૂર્નામેન્ટના રોમાન્ચમાં પણ ભારે ઘટાડો આવશે. બીસીસીઆઇને જોકે વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે હજુ કોઇ નિવેદન આપ્યુ નથી. 


બીસીસીઆઇની શનિવારે થયેલી જનરલ મીટિંગમાં આઇપીએલ સિઝન 14ની બાકી બચેલી મેચોને ભારતમાંથી યુએઇ શિફ્ટ કરવાની જાહેરાત કરી. આઇપીએલની 14મી સિઝન કોરોના વાયરસના કેસો સામે આવવાના કારણે 3જી મેએ સ્થગિત કરી દેવામાં આવી હતી.


સીઝન-14માં બાકી છે 31 મેચ


સીઝન-14માં કુલ લીગ રાઉન્ડ અને પ્લેઓફમાં 60 મેચ રમાવાની છે. ટૂર્નામેન્ટ અટકાવી દેવામાં આવી ત્યારે કુલ 29 મેચ રમાઈ હતી. હવે બાકાની 31 મેચ યૂએઈમાં રમાશે. બાકીની 31 મેચનું આયોજન 18 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે યૂએઈમાં થશે. બાકીની 31 મેચમાંથી 10 મેચ ડબલ હેડર અને 7 મેચ સંગર હેડરમાં રમાશે જ્યારે બાકીની 4 મેચ પ્લે ઓફની હશે.