ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર માટે એક ભારતીય જ જવાબદાર, જાણો વિગત
શ્રીધરન શ્રીરામ 2000થી 2004 વચ્ચે ભારત તરફથી 8 વન ડે મેચ રમી ચુક્યા છે. તે પ્રથમ વખત 2015માં ઓસ્ટ્રેલિયન ટીમના બાંગ્લાદેશ પ્રવાસે કંગારૂ ટીમના સ્પિન સલાહકાર હતા. હવે તેમને ભારતમાં ભારતને હરાવવામાં ઓસ્ટ્રેલિયન ટીમની મદદ કરી છે.
સ્ટીવ ઓકીફે મેચમાં 70 રન આપીને 12 વિકેટ ઝડપી હતી. બન્ને ઇનિંગમાં તેને 6-6 વિકેટ ઝડપી હતી. સ્ટીવે પોતાના આ પ્રદર્શનનું શ્રેય સ્પિન કોચ શ્રીરામને આપ્યુ છે. તેને કહ્યું, 'શ્રીરામ એક અસરકારક સ્પિન બોલિંગ કોચ છે. મે તેમની પાસે ઘણી ટિપ્સ લીધી છે. શ્રીરામે નેટ્સ દરમિયાન મારી પર ઘણી મહેનત કરી અને મને સમજાવ્યુ કે ભારતમાં કઇ રીતે બોલિંગ કરવી છે, તેમની મહેનત અને તેમના વિશ્વાસથી હું સારી બોલિંગ કરી શક્યો.'
ઓસ્ટ્રેલિયાએ પૂણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને ત્રણ દિવસમાં 333 રને પરાજય આપ્યો હતો. સ્પિનરોની મદદગાર પીચ પર ઓસ્ટ્રેલિયન સ્પિનરોએ કુલ 17 વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની શનિવારે હાર પાછળ સ્ટીવ ઓકીફની બોલિંગ છે. પણ ઓસ્ટ્રેલિયાના લેફ્ટ-આર્મ-સ્પીનરને મદદ કરનારા ચેન્નાઈના શ્રીધરન શ્રીરામ છે. શ્રીધરન શ્રીરામ ઓસ્ટ્રેલિયન ટીમના સ્પિન સલાહકાર હતા.