કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર રવાના થતા અગાઉ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, તે હાલના મુખ્ય રવિ શાસ્ત્રીને ફરીથી પસંદ કરવામાં આવે તેનાથી ખુશ થશે. તે સિવાય તેણે કહ્યુ હતું કે મુખ્ય કોચની પસંદગીની લઇને અત્યાર સુધી સીએસીએ તેનો સંપર્ક કર્યો નથી.
કપિલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તે કોહલીનો મત જાણશે, અમારે તમામ લોકોના મતનું સન્માનકરવું જોઇએ. આ ખૂબ મુશ્કેલ નથી. તમે ફક્ત તમારી ક્ષમતા અનુસાર પોતાનું કામ સારી રીતે કરો.