સેહવાગે વિરાટને નામ બદલીને 'બાદલ' કરવાની કેમ આપી સલાહ ? જાણો રસપ્રદ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2016 02:53 PM (IST)
1
સહેવાગે ટ્વિટમાં જણાવ્યુ હતું કે, કોહલીએ પેપરમાં પોતાના નામ ચેન્જની એડ આપવી જોઇએ. કોહલીને ‘બાદલ’ કહેવો જોઇએ કારણ કે તે વાદળની જેમ હંમેશા છવાયેલો રહે છે.
2
નવી દિલ્લીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પોતાની બેટિંગની સાથે સાથે મજાક માટે જાણીતો છે. તાજેતરમાં જ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન પર સહેવાગે કોમેન્ટ કરતા જણાવ્યુ હતું કે, વિરાટ કોહલીએ પોતાનું નામ બદલી લેવું જોઇએ.
3
સહેવાગે કહ્યુ હતું કે, વિરાટ પોતાના પરફોર્મન્સના કારણે હંમેશા છવાયેલો રહે છે જેથી તેણે પણ પોતાનું નામ બદલીને ‘બાદલ’ રાખી લેવું જોઇએ. નોંધનીય છે કે વિરાટ સતત પોતાના બેટ્સ પરફોર્મન્સ કરી રેકોર્ડ બનાવી રહ્યો છે.
= 3">