AC Blast:દિલ્હીના Vivek Vihar વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે તો અનેક લોકો  દાઝી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે, રહેણાંક બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ACમાં બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હતી. ગરમીનો સીઝન શરૂ થતા હવે ACનો ઉપયોગ વધ્યો છે. દર વર્ષે આવી કેટલીક ઘટનાઓ સામે આવે છે, જેમાં ACમાં આગ લાગવાથી મોટું નુકસાન થાય છે. જો તમે ACનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે ACમાં બ્લાસ્ટ કયા કારણોસર થઈ શકે છે અને તેમાંથી બચવા માટે કયા ઉપાયો અપનાવી શકાય.

AC Blast ના કારણો શું હોઇ શકે છે ?

Continues below advertisement
Continues below advertisement

ઓવરયૂઝ (વધારે ઉપયોગ) – ઉનાળામાં ઘણા સ્થળોએ તાપમાન 50 ડિગ્રીથી પણ વધુ પહોંચી જાય છે. આવી તીવ્ર ગરમીથી રાહત મેળવવા માટે લોકો ACનો સતત ઉપયોગ કરે છે. ઘણી વાર AC દિવસ-રાત બંધ કર્યા વગર ચાલતો રહે છે. તેના કારણે કમ્પ્રેસર પર અસર પડે છે અને ઓવરહીટ થવાનો ખતરો વધે છે. કમ્પ્રેસર ઓવરહીટ થવાથી અને અતિશય ગરમીને કારણે તેમાં આગ લાગવાનો ખતરો રહે છે.

ગેસ લીક – ગેસ લીક થવાના કારણે પણ ACમાં આગ લાગી શકે છે. હકીકતમાં, કૂલિંગ માટે ACમાં રેફ્રિજરન્ટ ગેસનો ઉપયોગ થાય છે. અનેક કારણોસર આ ગેસ લીક થઈ શકે છે. ગેસ લીક થવાથી AC યોગ્ય રીતે કૂલિંગ નથી કરતી, જેના કારણે તેના અન્ય ભાગો પર લોડ વધે છે. આથી ઓવરહીટિંગ થઈ શકે છે અને આગ લાગવાનો ખતરો રહે છે. ઉપરાંત, ગેસ લીક થઈને કોઈ સ્પાર્ક અથવા ચીંગારીના સંપર્કમાં આવે તો AC બ્લાસ્ટ પણ થઈ શકે છે.

વોલ્ટેજ ઉપર-નીચે થવું – જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં વોલ્ટેજમાં ફેરફાર થતો રહે છે, તો સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. તેના વગર વોલ્ટેજ ફ્લકચ્યુએશનના કારણે ACના કમ્પ્રેસર અને અન્ય ભાગોને નુકસાન થઈ શકે છે. ઘણી વખત આ કારણે AC પર લોડ વધે છે, જે બ્લાસ્ટનું કારણ બની શકે છે.

આ પણ વાંચો:દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

બચાવના ઉપાય

એર કંડિશનરને લાંબા સમય સુધી સતત રાખવાનું ટાળવું જોઈએ.

એર કંડિશનરની નિયમિત સેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ગેસ લીક ​​થાય છે, તો તેને રિપેર કરાવો અને ખામીયુક્ત ભાગો બદલો.

જો તમારા વિસ્તારમાં વોલ્ટેજની સમસ્યા હોય, તો સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો.

હંમેશા તમારા એર કંડિશનરને કોઈ વ્યાવસાયિક દ્વારા ઇન્સ્ટોલ અને સર્વિસ કરાવો.

જો એર કંડિશનરમાં ગેસ લીક ​​થાય છે, તો તેનો ઉપયોગ કરશો નહીં અને તેને તાત્કાલિક રિપેર કરાવો.