નવી દિલ્હીઃ માત્ર એક દિવસ એટલે કે આવતીકાલથી 15મી જાન્યુઆરીથી ઇ-કૉમર્સ વેબસાઇટ અમેઝૉન અને ફ્લિપકાર્ટ પર તગડો સેલ શરૂ થઇ રહ્યો છે. સેલને અમે તગડો એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે તમને માત્ર 49 રૂપિયામાં એકથી એક ચઢિયાતી અને સારી વસ્તુઓ અને સામાન આ સેલમાં મળી રહેશે. 


આ સેલમાં તમે કૉમ્પ્યુટરથી લઇને લેપટૉપ, મોબાઇલ ફોન, અને બીજી ઘરની આઇટમો -સામાન પણ સસ્તામાં ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. સેલ ઉપરાંત ગ્રાહકોને વિશેષ ઓફર પણ મળી રહેશે. 


49 રૂપિયામાં મળશે અહીં સામાન  - 
ખરેખરમાં, આવતીકાલથી , 15 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ પર 'બિગ સેવિંગ ડે' સેલ શરૂ થઇ રહ્યો છે, જે  20 જાન્યુઆરી સીધુ ચાલશે. આ સેલમાં તમે હૉમ એમ્પાલયન્સને ડિસ્કાઉન્ટેડ રેટ પર ખરીદી શકો છો. સાથે જ કેટલીક કિચન આઇટમને તમે 49 રૂપિયામાં પોતાની બનાવી શકો છો. આ સેલમાં બેન્ક ઓફર અને અન્ય ડિસ્કાઉન્ટનો પણ લાભ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ પર ચાલનારી આ સેલની સૌથી મોટી વાત એ છે કે, આમાં તમને  49 રૂપિયાથી લઇને 99 રૂપિયાની વચ્ચે ઘરનો સામાન મળશે. એટલુ જ નહીં રોજ રાત્રે 12 વાગે, સવારે 8 વાગે અને બપોરે 4 વાગે કંઇક ખાસ ઓફર ગ્રાહકોને આપવામાં આવશે. આ દરમિયાન કેટલાક સિલેક્ટેડ પ્રૉડક્ટ્સ પર તમને ધમાકેદાર ડિસ્કાઉન્ટ અલગથી આપવામા આવશે. 


અમેઝૉન પર આ દિવસથી શરૂ થશે સેલ - 
અમેઝૉન પર  17 જાન્યુઆરીથી 'ગ્રેટ રિપબ્લિક ડે' સેલ શરૂ થઇ રહ્યો છે, જે 20 જાન્યુઆરી સુધી ચાલશે, જોકે, આ સેલનો ખાસ ફાયદો પ્રાઇમ મેમ્બર 1 દિવસ પહેલા ઉઠાવી શકે છે, સેલ અંતર્ગત તમે અહીં પણ 99 રૂપિયાથી લઇને 499 રૂપિયા સુધીની પ્રૉડક્ટ્સ ખરીદી શકશો. આ ઉપરાંત લેપટૉપ, મોબાઇલ ફોન, ટીવી, અને ઘરેની અન્ય ચીજવસ્તુઓ પર તમને જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે.


 


Amazon Layoffs: અમેઝોને ભારતમાં શરૂ કરી છટણી! 5 મહિનાનો પગાર આપવાનો કર્યો વાયદો, જાણો વિગત


Amazon Layoffs: આખી દુનિયામાં મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે. આ સાથે ભારત અને દુનિયાની ઘણી મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ઈ-કોમર્સ કંપની એમેઝોન પણ આનાથી બાકાત નથી. તાજેતરમાં, એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ કહ્યું હતું કે આગામી થોડા દિવસોમાં કંપની તેના 18,000 થી વધુ કર્મચારીઓ (એમેઝોન છટણી) ની છટણી કરશે. આ સાથે એમેઝોન પણ ભારતમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HR, ટેક વિભાગમાં કામ કરતા લગભગ 1,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.


આ શહેરોના કર્મચારીઓની છટણી


ઈન્ડિયા ટુડેમાં છપાયેલા અહેવાલ મુજબ સીઈઓ એન્ડી જેસીએ જણાવ્યું છે કે 18 જાન્યુઆરી પછી કંપની કાઢી મૂકેલા કર્મચારીઓનો ઈમેલ દ્વારા સંપર્ક કરશે. એમેઝોનના છટણીથી પ્રભાવિત ઘણા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Linkedin અને Twitter પર માહિતી આપી છે કે કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને હવે નવી તકો માટે તૈયાર છે. ભારતમાં, એમેઝોને બેંગ્લોર, ગુરુગ્રામ જેવી ઘણી ઓફિસોમાંથી તેના કર્મચારીઓને છૂટા કર્યા છે. એમેઝોનમાં જે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તેમાં ફ્રેશર અને અનુભવી કર્મચારીઓ બંનેનો સમાવેશ થાય છે.


5 મહિનાનો પગાર મળશે


કંપનીએ બરતરફ કરાયેલા કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરી છે કે તમામ કર્મચારીઓને આગામી 5 મહિનાનો પગાર પણ મળશે. તાજેતરમાં જ કંપનીના સીઈઓ એન્ડી જેસીએ જાહેરાત કરી હતી કે વૈશ્વિક મંદીને જોતા કંપની વિશ્વભરમાંથી 18,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે, જે આગામી કેટલાક અઠવાડિયા સુધી ચાલશે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે છટણીની અસર એમેઝોન સ્ટોર અને PXT સંસ્થાઓમાં સૌથી વધુ રહેશે. કંપનીએ વચન આપ્યું છે કે તે આગામી 5 મહિના માટે પગાર અને સ્વાસ્થ્ય લાભ આપશે.