Cockroach Janata Party: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના નિવેદનના વિરોધમાં શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નું X (ટ્વિટર) એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર આ પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે. CJP ના ફાઉન્ડર અભિજીત દીપકેએ જણાવ્યું કે પહેલા આ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે એકાઉન્ટ હેક ન થયું, ત્યારે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. X પર આ પાર્ટીના 1.6 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 13 મિલિયનથી વધુ થઈ ગઈ છે. X પર પાર્ટીનું એકાઉન્ટ ઓપન કરતા લખેલું આવે છે કે કાનૂની માંગ (Legal Demand) ને કારણે આ એકાઉન્ટને  withheld કરવામાં આવ્યું છે.

Continues below advertisement

 

કેવી રીતે થઈ આ અભિયાનની શરૂઆત?

CJP નામે આ ઓનલાઈન કેમ્પેનની શરૂઆત 16 મે ના રોજ થઈ હતી. હકીકતમાં, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે દેશના કેટલાક ખાસ બેરોજગાર યુવાનોના વલણને લઈને 'કોકરોચ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના વિરોધમાં દીપકેએ લખ્યું કે જો બધા જ 'કોકરોચ' ભેગા થઈ જાય તો શું થાય? ત્યારબાદ સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી નામે ઓનલાઈન કેમ્પેન શરૂ થઈ ગયું અને જોતજોતામાં લોકો તેની સાથે જોડાવા લાગ્યા. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં CJP એ કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીને પણ પાછળ છોડી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, 6 લાખ લોકોએ આ માટે પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. સોશિયલ મીડિયા પર પાર્ટીના ફોલોઅર્સની યાદીમાં ઘણા મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝ પણ સામેલ છે.

Continues below advertisement

આ પણ વાંચો...આ પણ વાંચો...New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

કોણ છે અભિજીત દીપકે?

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર 30 વર્ષીય અભિજીત દીપકે છે. તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરથી પત્રકારત્વમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂરી કરી છે. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે પ્રખ્યાત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. દીપકે વ્યવસાયે પોલિટિકલ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે, જે રાજકીય પક્ષો માટે ડિજિટલ વ્યૂહરચના તૈયાર કરે છે.

CJP ની મુખ્ય માંગણીઓ

કોકરોચ જનતા પાર્ટીની વેબસાઈટ પણ લાઈવ છે અને પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો  પણ બહાર પાડ્યો છે. જેમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:

  • ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી રાજ્યસભામાં ન મોકલવા.

  • ગૃહમાં બેઠકોની સંખ્યા વધાર્યા વિના મહિલાઓ માટે 50 ટકા અનામતની વ્યવસ્થા કરવી.

  • પક્ષપલટો કરનાર સાંસદો અને ધારાસભ્યો પર ચૂંટણી લડવા માટે 20 વર્ષનો પ્રતિબંધ મૂકવો.

અહીં જુઓ દીપકેનું નિવેદન...