ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ એક મોટો આદેશ જાહેર કર્યો છે જેમાં મોબાઇલ ઉત્પાદક કંપનીઓને તમામ નવા સ્માર્ટફોન પર 'સંચાર સાથી' એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. વિભાગનું માનવું છે કે આ સરકારી પગલું સાયબર છેતરપિંડી અટકાવવા, ચોરાયેલા ફોન ટ્રેસ કરવા, નકલી સિમ કાર્ડ અટકાવવા અને છેતરપિંડીવાળા IMEI નંબરોને રોકવા માટે જરૂરી છે.

Continues below advertisement

સરકારી આદેશ બાદ ઘણા લોકોના મનમાં સવાલ છે કે  આ એપ શું છે, તે કેવી રીતે કામ કરશે, જૂના ફોન પર તેને કેવી રીતે મેળવવું, શું સંચાર સાથી એપ ફીચર ફોન પર પણ કામ કરશે અને શું વિદેશથી સ્માર્ટફોન આયાત કરવામાં આવે તો આ એપની જરૂર પડશે તે અંગે પ્રશ્નો છે. ચાલો આજે આવા પાંચ મુખ્ય પ્રશ્નોના જવાબો શોધીએ.

શું આ એપને નવા અને આયાતી ફોનમાં સામેલ કરવી જોઈએ?

Continues below advertisement

સંચાર સાથીની અસરકારકતા વધારવા માટે DoT એ 28 નવેમ્બર, 2025 ના રોજ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ આદેશ હેઠળ ભારતમાં ઉપયોગ માટે ઉત્પાદિત અથવા આયાત કરાયેલા મોબાઇલ હેન્ડસેટના ઉત્પાદકો અને આયાતકારોએ આ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. આ માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

જૂના ફોન પર સંચાર સાથી એપ કેવી રીતે ઇન્સ્ટોલ થશે?

DoT ઓર્ડર હેઠળ ઉત્પાદકો અને આયાતકારો ભારતમાં પહેલાથી જ ઉત્પાદિત અને વેચાણ ચેનલો પર ઉપલબ્ધ ડિવાઈસ માટે સોફ્ટવેર અપડેટ દ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે.

શું આ એપ્લિકેશન ડિલિટ કરી શકાય છે અથવા અક્ષમ કરી શકાય છે?

DoT ઓર્ડર સ્પષ્ટ કરે છે કે સંચાર સાથી એપ નવા ફોન પર પહેલાથી ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. આ એપ્લિકેશન સ્માર્ટફોન સેટઅપ દરમિયાન દૃશ્યમાન હોવી જોઈએ. તેને અક્ષમ અથવા અનઇન્સ્ટોલ કરી શકાતી નથી.

તે ચોરાયેલા ફોનના વેચાણને કેવી રીતે અટકાવશે?

Sanchar Sathi એપ દ્વારા તમે તરત જ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનની જાણ કરી શકો છો. હેન્ડસેટનો IMEI નંબર બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જેમ જેમ કોઈ તે હેન્ડસેટમાં બીજું સિમ કાર્ડ દાખલ કરશે. ટેલિકોમ કંપનીને તરત જ ખબર પડશે કે સિમ કાર્ડનો IMEI નંબર બ્લેકલિસ્ટેડ છે. આ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને રિકવર કરવામાં સક્ષમ બનાવશે.

ચોરાયેલા સ્માર્ટફોનની ઓળખ

ભારતમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન માટે એક મોટું બજાર છે. વપરાયેલા મોબાઇલ ફોન ઓનલાઈન અને સ્થાનિક બજારો બંનેમાં વેચાય છે. ઘણીવાર ભોળા લોકો અજાણતાં ચોરાયેલા કે ખોવાયેલા સ્માર્ટફોન ખરીદી લે છે. અજાણતાં ગુનાનો ભોગ બને છે અને નાણાકીય નુકસાન સહન કરે છે. સંચાર સાથી એપનો ફાયદો એ છે કે તે યુઝર્સને બ્લોક કરેલા કે બ્લેકલિસ્ટેડ IMEI નંબરો તપાસવાની મંજૂરી આપે છે.

શું સંચાર સાથી એપ ફીચર ફોનમાં સામેલ થશે?

શું આ એપ ફીચર ફોનમાં ઇન્સ્ટોલ થશે? એપ ફીચર ફોનમાં ઇન્સ્ટોલ થશે કે નહીં તે સ્પષ્ટ નથી. જોકે, તેમના IMEI નંબરો સરકારની CEIR સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે. આનાથી ચોરાયેલા કે ખોવાયેલા ફીચર ફોનના IMEI ને એપ વિના પણ બ્લોક અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

સંચાર સાથી એપ DoT દ્વારા વિકસાવવામાં આવી છે.

સંચાર સાથી એપ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા વિકસાવવામાં આવેલ સાયબર સુરક્ષા અને મોબાઇલ સુરક્ષા પ્લેટફોર્મ છે. આ એપનો હેતુ મોબાઇલ ફોન સુરક્ષા વધારવાનો, ચોરાયેલા/ખોવાયેલા ફોનને બ્લોક કરવાનો અને નકલી મોબાઇલ કનેક્શન પર નજર રાખવાનો છે.