બનાસકાંઠા:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આજે સીમા દર્શન પ્રોજેકટ લોકો માટે ખુલ્લો મુકવાનો કાર્યક્રમ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડાબેટ પહોંચ્યા છે. અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડેશ્વરી માતાજીના દર્શન કરશે. આજે સીમા દર્શન પ્રોજેક્ટના ઉદ્દઘાટનમાં અધિકારીઓ સહિત રાજકીય આગેવાનો હાજર રહેવાના છે. સીમા દર્શન પ્રોજેકટ પાછળ 125 કરોડનો ખર્ચે પ્રવાસન વિભાગે કર્યો છે. ઇન્ડો પાકિસ્તાનની સરહદ નડાબેટ ખાતે હવે વાઘા અટારી બોડર જેવો નજારો જોવા મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અગામનને લઈને નડાબેટ ખાતે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ઈન્ડો પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે. થોડીવારામં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડાબેટ પહોંચશે. પ્રવાસન વિભાગ દ્વારા 125 કરોડના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ટુરીઝમનો વિકાસ કરવામાં આવ્યા છે. સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટીરિયરવર્ક, વિશ્રામસ્થળ,'સરહદગાથા' પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝીયમ, ડેકોરેટિવ લાઈટીંગ, બીએસએફ બેરેક સહિતની સુવિધા વિકસિત કરાઇ છે.  સીમા દર્શન પ્રોજેકટ જવાનોના શોર્ય, દેશ પ્રેમ અને સીમા દર્શન જોઈ પ્રવાસીઓને વીરોની ગૌરવગાથાનું સચિત્ર દર્શન કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઇને નડાબેટમાં કાર્યક્રમને અંતિમઓપ અપાઈ ચૂક્યો છે.


કચ્છમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી
આગામી સમયમાં ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ જઈ શકે છે. હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેજં એલર્ટ જાહેર કર્યું છે. તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું.